મોદી સરકાર ઓનલાઈન શોપિંગ કરનારાને મોટી રાહત આપવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર 27 જુલાઈ 2020થી દેશમાં ઈ કોમર્સ કંપનીઓ માટે નવો નિયમ લાગૂ કરશે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019ની સાથે જ આ ઈ કોમર્સ કંપનીઓ પર પણ નવા નિયમ લાગૂ થશે. આ નિયમ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019નો જ ભાગ છે. નવા નિયમ લાગૂ થયા બાદ ઓનલાઈન શોપિંગ કરનારા ગ્રાહકની સાથે દગાબાજી કરનારાને દંડની સજા સહિત કંપનીઓ પર કેસ કરાશે. કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન 27 જુલાઈએ પ્રેસ કોન્ફરન્સથી આ નિયમની જાહેરાત કરશે અને દેશમાં પહેલી વાર ઈ કોમર્સ કંપનીઓ માટે ગાઈડલાઈન્સ બનશે.
ઓનલાઈન શોપિંગ કરનારાને મોદી સરકારની ભેટ
હવે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019ની સાથે આવશે નવા નિયમ
રામવિલાસ પાસવાન 27 જુલાઈએ કરશે નિયમની જાહેરાત
27 જુલાઈથી લાગૂ થશે ઈ કોમર્સ કંપનીઓ પર નવા નિયમ
દેશમાં અનેક ઈ કોમર્સ કંપનીઓ માટે નવા નિયમ લાગૂ થયા બાદ ઓનલાઈન શોપિંગ કરનારાની સાથે દગાબાજી કરનારાને દંડની સજા અપાશે. ગ્રાહકોને ઓનલાઈન શોપિંગમાં દગો મળશે તો ઈ કોમર્સ કંપનીઓ પર કેસ કરાશે. નવા ઈ કોમર્સ કાયદાથી ગ્રાહકોને રાહત મળશે અને સાથે જ અનેક નવા અધિકારો પણ મળશે.
કંપનીઓએ હવે ગ્રાહકોના હિતનો ખ્યાલ રાખવો પડશે
નવા ગ્રાહક કાયદામાં ઈ કોમર્સ કંપનીઓએ હવે ગ્રાહકોના હિતનું ધ્યાન રાખવું પડશે. કંપનીઓ દેશમાં રજિસ્ટર્ડ હોય કે વિદેશમાં નવા નિયમમાં દંડની સાથે સજાની પણ જોગવાઈ છે. જો કોઈ ગ્રાહક ઓર્ડર બુક કર્યા બાદ કેન્સલ કરે છે તો કંપનીઓ તેમની પાસેથી ચાર્જ લઈ શકશે નહીં. સાથે ખરાબ સામાન ડિલિવર કરવા માટે પણ કંપનીને દંડ કરાશે. રિફંડ, એક્સચેન્જ, ગેરેંટી, વોરંટી જેવી જાણકારી પણ ઈ કોમર્સ કંપનીના પોર્ટલ પર હોવી જરૂરી છે. આ સાથે એ પણ જણાવવાનું રહેશે કે પ્રોડક્ટ કયા દેશની છે અને કયા દેશમાં બની છે. આ સાથે જ ખોટી જાણકારી કે લોભામણી કિંમતો કે હિડન ચાર્જ પર પણ સકંજો લગાવવામાં આવશે.
ઓનલાઈન કંપનીઓની ફરિયાદ માટે નોડલ અધિકારીની નિમણૂક કરાશે
ઈ કોમર્સના નવા નિયમ અનુસાર ઓનલાઈન કંપનીઓના આધારે એક નોડલ ઓફિસરની નિમણૂંક કરાશે. આ અધિકારીને એક નક્કી ટાઈમ લિમિટમાં ગ્રાહકની ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવશે. નવા નિયમમાં નાની મોટી કોઈ પણ ઈ કોમર્સ કંપનીઓએ નિયમોનું પાલન કરવાનું રહેશે. આ નિયમ અંગે કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન 27 જુલાઈ 2020એ જાણકારી આપશે.
આજના સમયમાં ઓનલાઈન શોપિંગને લઈને લોકોમાં જે ક્રેઝ જોવા મળી રહ્યો છે તેને લઈને ગ્રાહકોને સુરક્ષિત કરવા માટે આ નિયમ લાગૂ કરાશે. અલગ અલગ વેબસાઈટ પર જઈને અનેક બ્રાન્ડ પ્રતિ ગ્રાહકો આકર્ષાય છે. તેને ધ્યાનમાં રાખીને સરકારે નવો નિયમ બનાવ્યો છે. જેથી ઓનલાઈન શોપિંગ કંપનીઓ ગ્રાહકોને આકર્ષે નહીં અને તેમને નુકસાન ન થાય.