અમદાવાદ શહેરને વધુ સ્વચ્છ-સુંદર બનાવવાના મ્યુનિસિપલ કોર્પોરેશનના અભિયાન હેઠળ પાન-મસાલા ખાઇને જ્યાં ત્યાં થૂંકવાની આદત ધરાવતા લોકો તેમજ પાનના ગલ્લા ધરાવતા ધંધાર્થીઓ સામે તંત્ર આગામી દિવસોમાં ભારે કડકાઇથી કામ લેવાનું છે. તેમાં પણ પાનના ગલ્લાએ ઊભા રહીને પાન કે મસાલો ખાઈને તત્કાળ તેની આજુબાજુના વિસ્તારમાં પીચકારી મારતા નાગરિકો માટે પાનના ગલ્લાવાળાઓએ ફરજિયાત પણે થૂંકદાની મૂકવી પડશે. જાણો આ વીડિયોમાં નવો નિયમ શું છે અને કેવી રીતે કામ કરશે?