હાર્ટ સ્પેશિયાલિસ્ટ જય શાહે કોરોનાના સાજા દર્દીઓમાં આવતી સમસ્યા અંગે VTV ન્યૂઝ સાથે વાતચીત કરી હતી
જય શાહે VTV ન્યૂઝ સાથે કરી વાતચીત
હ્રદય પર પણ હુમલો કરી રહ્યો છે કોરોના
કોરોના દર્દીઓના હ્રદય પર થાય છે અસર
કોરોનાના દર્દીઓ મોટા પ્રમાણમાં સાજા થઈ રહ્યા છે. પરંતુ સાજા થયેલા દર્દીઓમાં પણ એક બીજી સમસ્યા સામે આવી છે. હાર્ટ સ્પેશિયાલિસ્ટ જય શાહે કોરોનાના સાજા દર્દીઓમાં આવતી સમસ્યા અંગે VTV ન્યૂઝ સાથે વાતચીત કરી હતી. જેમાં જણાવ્યું કે, કોરોના ફેફસાની સાથે હ્રદય પર પણ હુમલો કરી રહ્યો છે. કોવિડ દર્દીઓના હ્રદય પર કોરોનાની અસર થાય છે.
હાર્ટ સ્પેશિયાલિસ્ટે જણાવ્યું કે, માંસપેશીઓમાં સોજા બાદ હ્રદયનો આકાર બદલી જાય છે. કોરોનાના કારણે બ્લડ જામી જવાના પણ કેસ વધી રહ્યાં છે. બ્લડની ગાંઠો થઇ જવાથી દર્દીનું હાર્ટ અટેકથી મૃત્યુ થવાની સંભાવના છે. કેટલાક દર્દીના હ્રદયમાં બ્લડની ગાંઠો જામેલી મળી રહી છે. પરંતુ વેક્સિન લેવાથી કોવિડ દર્દીને હ્રદય સંબંધી બીમારીમાં રાહત થઇ શકે છે.
રાજ્યમાં વધતા મ્યુકોર્માઇકોસિસ રોગના નિયંત્રણ માટે કેટલાક મહત્વના નિર્ણયો
રોગ વધુ ફેલાતો અટકાવવા અને રોગની અસર થઈ છે તેમની તુરંત સારવાર આપવાની વ્યવસ્થાઓ કરવા આરોગ્ય વિભાગને સૂચના
તમામ સિવિલ હોસ્પીટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કરવાનો નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા મ્યુકોર્માઇકોસિસની સારવાર માટે રૂ. 3 કરોડ 12 લાખના ખર્ચે એમ્ફોટિસીરીન B-50 Mgના 5000 ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દેવાયો
સમગ્ર રાજ્યમાં મ્યુકોર્માઇકોસિસના આવા 100થી વધુ જેટલા કેસો નોંધાયા છે.
અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં મ્યુકોર્માઇકોસિસના સંક્રમિતોની સારવાર માટે 60-60 બેડ સાથેના બે વોર્ડ શરૂ કરાયા
રોગનો વ્યાપ વધે નહીં તે માટે આરોગ્ય તંત્ર શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લે તેવી તાકીદ પણ કરી
શું છે આ મ્યુકોર્માઇકોસિસ રોગ
જવલ્લે જ જોવા મળતો મ્યુકોર્માઇકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકોર્માઇકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકોર્માઇકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકોર્માઇકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.
હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકોર્માઇકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે.
મ્યુકોર્માઇકોસિસ રોગના લક્ષણો
એક બાજુનો ચહેરો સોજી જવો
માથાનો દુઃખાવો
નાક બંધ થવું કે સાઇનસની તકલીફ
મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો
આંખમાં દુખાવો,દ્રષ્ટિ ઓછી થવી
તાવ, કફ, છાતીમાં દુઃખાવો
શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો
ઉબકા આવવા કે ઉલટી થવી
આંતરડામાં રક્તસ્ત્રાવ થવો ,જેવા લક્ષણો જોવા મળે છે