કેન્દ્ર સરકાર જલ્દી એક નવો કાયદો લઇને આવી રહેલ છે કે જેને આધારે મકાન માલિક અને ભાડુઆતોનાં હિતોની રક્ષા થશે. આ કાયદાનો ડ્રાફ્ટ બનીને તૈયાર થઇ ગયો છે કે જેને માટે સામાન્ય લોકોથી પણ સૂચનો માંગવામા આવ્યા છે. ડ્રાફ્ટ અંતર્ગત મકાન માલિક ભાડાંની સમયમર્યાદા દરમ્યાન પોતાની મરજીથી ભાડુ નહીં વધારી શકે. દેશભરમાં મકાન માલિક અને ભાડુઆતોની વચ્ચે વિવાદ વધતો જઇ રહ્યો છે. આ વિવાદોમાં ઘટાડો લાવવા માટે સરકાર કાયદો લઇને આવી રહી છે.
કેન્દ્ર સરકાર જલ્દી એક નવો કાયદો લઇને આવી રહેલ છે કે જેને આધારે મકાન માલિક અને ભાડુઆતોનાં હિતોની રક્ષા થશે. આ કાયદાનો ડ્રાફ્ટ બનીને તૈયાર થઇ ગયો છે કે જેને માટે સામાન્ય લોકોથી પણ સૂચનો માંગવામા આવ્યા છે. ડ્રાફ્ટ અંતર્ગત મકાન માલિક ભાડાંની સમયમર્યાદા દરમ્યાન પોતાની મરજીથી ભાડુ નહીં વધારી શકે.
એટલાં માટે બનશે કાયદોઃ
દેશભરમાં મકાન માલિક અને ભાડુઆતોની વચ્ચે વિવાદ વધતો જઇ રહ્યો છે. આ વિવાદોમાં ઘટાડો લાવવા માટે સરકાર કાયદો લઇને આવી રહી છે. આ વાતની જાહેરાત ખુદ નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પાંચ જુલાઇનાં રોજ પોતાનાં બજેટ ભાષણમાં કરી હતી.
ભાડુઆતોનાં હિતને રખાશે ધ્યાનમાંઃ
આ ડ્રાફ્ટમાં ભાડુઆતો માટે અનેક હિતોને સુરક્ષિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે. હવે કોઇ પણ ભાડુઆત ઘર લેવા પર બે મહીનાની સિક્યુરિટી એડવાન્સની રીતે નહીં આપે. આ સિવાય ભાડાની સમયમર્યાદા વચ્ચે મકાન માલિક ભાડાને પણ વધારી શકે. મકાન માલિકોનાં ભાડામાં કોઇ પણ પ્રકારનાં ફેરફાર કરવા માટે ત્રણ મહિના પહેલા નોટિસ આપવાની રહેશે. કોઇ વિવાદ થવા પર મકાન માલિક ભાડુઆતની વિજળી અને પાણી આપૂર્તિ જેવી જરૂરી સુવિધાઓ બંધ નહીં કરે. દેશનાં અનેક શહેરોમાં મકાન માલિક ઘર ભાડે આપતા પહેલા 11 મહીનાની એડવાન્સ સિક્યુરિટી લે છે. આનાંથી ભાડુઆતો પર મોટો આર્થિક બોઝો પડે છે.
મકાન માલિકોનાં આ હિત થશે શામેલઃ
આ ડ્રાફ્ટમાં ભાડુઆતો સિવાય મકાન માલિકોને માટે અનેક હિત શામેલ કરવામાં આવ્યા છે. ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઇ ભાડુઆત નક્કી સમયથી વધારે સમય સુધી મકાનમાં રહે છે તો તેને પહેલાનાં બે મહીના માટે બે ઘણાથી પણ વધારે ભાડુ આપવાનું રહેશે. જો તે બે મહીનાથી વધારે સમય સુધી રહે છે તો તેને ચાર ઘણુ ભાડું આપવુ પડશે. ભાડુઆત દ્વારા ઘર ખાલી કર્યા બાદ મકાન માલિક પોતાની લેણદારી કાપ્યા બાદ સિક્યુરિટી મનીને પરત કરી દેશે.