હમેંશા પ્રવાસીઓની ભીડથી ભરેલું રહેતું મસૂરી હિલ સ્ટેશન પર વહિવટી તંત્રે નવો નિયમ બનાવ્યો છે.
મસૂરી હિલ સ્ટેશન પર વહિવટી તંત્રે નવો નિયમ બનાવ્યો
ફક્ત 15,000 લોકો જ મસૂરીમાં આવી શકશે
પ્રવાસીઓએ સાથે કોરોના નેગેટિવ રિપોર્ટ લાવવો પડશે
દહેરાદુનના ડીએમે બહાર પાડ્યો નવો આદેશ
દહેરાદુનના ડીએમ ડો આર રાજેશ કુમારે જણાવ્યું કે કોરોનાના વધી રહેલા કેસોની વચ્ચે પ્રતિબંધો વધારવામાં આવી રહ્યાં છે હવે વીકેન્ડમાં ફક્ત 15,000 લોકોના પ્રવેશને મંજૂરી છે. પ્રવાસીઓએ 72 કલાક પહેલા RTPCR નેગેટિવ રિપોર્ટ લાવવો જરુરી છે.
Only 15,000 people can visit Mussoorie during weekends. It is mandatory for the visitors to carry 72-hour prior RTPCR negative report: DM Dehradun Dr R Rajesh Kumar#Uttarakhandpic.twitter.com/WxqtVOt8uC
દહેરાદુનના ડીએમ ડો આર રાજેશ કુમારે કહ્યું કે મસૂરીમાં થતી ભીડ અટકાવવા માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે. પ્રવાસીઓએ સાથે કોરોના નેગેટિવ રિપોર્ટ પણ લઈ જવો પડશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ઉત્તરાખંડના નૈનિતાલમાં કોરોનાના AY 2’ Delta Plus વેરિયન્ટની પુષ્ટિ થઈ છે.
ડેલ્ટા પ્લસ વેરિએન્ટની તપાસ માટે જુલાઇમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) ને મોકલવામાં આવેલા 15 નમૂનાઓમાંથી ત્રણ નમૂનામાં ઉપ-વેરિઅન્ટ 'AY 2' ની હાજરીની પુષ્ટિ થઈ હતી. જોકે દર્દીઓ ચેપમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે. SARS-CoV-2 વાયરસનું પરિવર્તિત સ્વરૂપ કોઈપણ નમૂનામાં મળ્યું નથી, જિલ્લા આરોગ્ય અધિકારીઓએ માહિતી આપી.