નવા રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે રેલ્વે સિગ્નલ વિભાગમાં એક એન્જિનિયર સાથે મુલાકાતમાં કહ્યું કે મને સર નહીં બૉસ કહેશો?. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
નવા રેલમંત્રીની એન્જિનિયર સાથે રમૂજ
મને સર નહીં બૉસ કહેશો?.
એન્જિનિયર રેલમંત્રીની કોલેજના વિદ્યાર્થી
ઘટનાની વિગત એવી છે કે એક વિભાગની મુલાકાતમાં એક એન્જિનિયરે કહ્યું કે તે એ કોલેજથી ભણ્યા છે જ્યાં રેલમંત્રી ભણ્યા હતા. આ સમયે રેલમંત્રીએ કહ્યું આવો ગળે મળીએ.
અશ્વિની વૈષ્ણવ બન્યા છે મોદી સરકારના નવા રેલમંત્રી
મોદી સરકારે બીજા કાર્યકાળના પહેલા ફેરબદલમાં રેલમંત્રી પણ બદલ્યા છે જેમાં અશ્વિની વૈષ્ણવને નવા રેલમંત્રી બનાવી દીધા છે. તેઓએ પદ સંભાળતા જ તેમના ઓફિસના ટાઈમમાં ફેરફાર કર્યો છે. તેઓએ અધિકારીઓ અને કર્મચારીઓ માટે 2 શિફ્ટમાં કામ કરવાનું નક્કી કર્યું છે. રેલમંત્રીના તરફથી અપાયેલા આદેશ અનુસાર પહેલી શિફ્ટ સવારે 7-સાંજે 4 વાગ્યા સુધીની અને બીજી શિફ્ટ બપોરે 3-રાતના 12 વાગ્યા સુધીની રહેશે. આ સમયે રેલમંત્રીની એન્જિનિયર સાથેની મુલાકાત ચર્ચાનો વિષય બની છે.
— Himanshu Jagarwal (@HimanshuJagarw3) July 9, 2021
નવા રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે શુક્રવારે રેલ્વે સિગ્નલ વિભાગમાં એક એન્જિનિયર સાથે મુલાકાતમાં એક એન્જિનિયરે કહ્યું કે તે એ કોલેજથી ભણ્યા છે જ્યાં રેલમંત્રી ભણ્યા હતા. આ સમયે રેલમંત્રીએ કહ્યું આવો ગળે મળીએ. રેલમંત્રીએ કહ્યું કે અમારી કોલેજમાં જૂનિયર સીનિયરને સર નહીં બૉસ કહે છે તો તમે પણ મને બૉસ કહેશો?
ઉલ્લેખનીય છે કે નવા રેલમંત્રી વૈષ્ણવ રાજસ્થાનના જોધપુરના એમબીએ કોલેજથી એન્જિનિયરિંગ કોલેજથી અભ્યાસ કરી ચૂર્યા છે. તેઓએ સ્ટાફને પણ કહ્યું છે કે ઘર જેવું કામ કરીશું, મજા આવે એવું કામ કરીશું.
આ વિભાગની જવાબદારી પર વૈષ્ણવના સિરે
મહત્વના રેલ વિભાગ સિવાય વૈષ્ણવને આઈટી અને સંચાર મંત્રાલયનો કાર્યભાર પણ સોંપવામાં આવ્યો છે. આ પહેલા આ મંત્રાલય પીયૂષ ગોયલની પાસે હતું. તેમને હવે કપડા મંત્રાલય આપી દેવાયું છે. તેની પહેલા આ મંત્રાલય સ્મૃતિ ઈરાનીની પાસે હતું.