નવા રેલ મંત્રીએ લીધો એવો નિર્ણય કે મિનિસ્ટર ઓફિસમાં અધિકારીઓ અને કર્મચારીઓ દોડતા થઈ ગયા.
કર્મચારીઓનો કામનો સમય બદલી નાંખ્યો
રેલવેની કમાણી વધારવા માટે અનેક પગલા ભરવા પર વિચાર વિમર્શ
વૈષ્ણવે બન્ને મંત્રાલયોમાં રવિશંકર પ્રસાદનું સ્થાન લીધુ
કર્મચારીઓનો કામનો સમય બદલી નાંખ્યો
પીએમ મોદીની કેબિનેટના નવા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે પોતાનો કાર્યભાર સંભાળવા માટે મિનિસ્ટર ઓફિસના અધિકારીઓ અને કર્મચારીઓનો કામનો સમય બદલી નાંખ્યો છે. રેલ મંત્રીએ સ્ટાફને 2 શિફ્ટમાં કામ કરવાના આદેશ આપ્યા છે. પહેલી શિફ્ટ સવારે 7 વાગે શરુ થશે. સાંજે 4 વાગે ખતમ થઈ જશે. જ્યારે બીજી શિફ્ટ બપોરે 3 વાગે શરુ થશે અને મધ્યરાત્રિમાં 12 વાગ્યા સુધી ચાલશે. આ ઉપરાંત 94 બેચના આઈએએસ અધિકારી અશ્વિની વૈષ્ણવ રેલવેની કમાણી વધારવા માટે અનેક પગલા ભરવા પર વિચાર વિમર્શ કરી રહ્યા છે.
આ નિર્ણય આ ઓફિસના સ્ટાફ માટે પ્રાઈવેટ કે રેલવે સ્ટાફ માટે નહીં
રેલ મંત્રાલયના એડીજી પીઆર ડીજે નારાયણના જણાવ્યાનુંસાર આ આદેશ ફક્ત એમઆર રેલ (મંત્રી ઓફિસ) માટે કરવામાં આવ્યો છે નહીં કે પ્રાઈવેટ અથવા રેલવે સ્ટાફ માટે. નારાયણે કહ્યું કે રેલ મંત્રીએ નિર્દેશ આપ્યા છે કે મંત્રી કાર્યાલયના તમામ કાર્મચારી તાત્કાલીક અસરથી 2 શિફ્ટ સવારે 7 વાગ્યાથી 4 વાગે અને બપોરે 3 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી કામ કરશે.
વૈષ્ણવે બન્ને મંત્રાલયોમાં રવિશંકર પ્રસાદનું સ્થાન લીધુ
ઓડિશાથી રાજ્યસભાના સભ્ય અશ્વિની વૈષ્ણવે ગુરુવારે ઈલેક્ટ્રોનિક્સ તથા આઈટી અને રેલવે મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો છે. તેમણે સંચાર મંત્રાલયનો કાર્યભાર પણ સંભાળ્યો છે. વૈષ્ણવે બન્ને મંત્રાલયોમાં રવિશંકર પ્રસાદનું સ્થાન લીધુ. પ્રસાદ 2019માં સંચાર વિભાગ સંભાળવા ઉપરાંત 2016થી આઈટી મંત્રાલય સંભાળી રહ્યા હતા.
Delhi: Ashwini Vaishnaw takes charge as the Minister of Electronics and Information Technology.
1994 બેચના એક પૂર્વ આઈએએસ અધિકારી, વૈષ્ણવે ગત 15 વર્ષમાં મહત્વપૂર્ણ જવાબદારીને સંભાળી છે અને વિશેષ રુપથી પીપીપી માળખામાં તેમના યોગદાન માટે પ્રખ્યાત હતા. તેમની પાસે વ્હાર્ટન સ્કૂલ, પેનસિલ્વેનિયા યુનિવર્સિટીથી એમબીએની ડિગ્રી અને આઈઆઈટી કાનપુરથી એમટેકની ડીગ્રી છે. વૈષ્ણવે જનરલ ઈલેક્ટ્રોનિક્સ અને સીમેન્સ જેવી પ્રમુખ વૈશ્વિક કંપનીઓમાં નેતૃત્વ ભૂમિકા નિભાવી છે.