અનિલ અંબાણીના અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ (ADAG) ની નવી કંપનીઓ વેચાઈ રહી છે. એવામાં તેમના માટે એેક વધારે મુશ્કેલીઓ વધી છે. બેંકોએ કંસોર્શિયમના રિલાયન્સ ગ્રૂપની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સના બેંક એકાઉન્ટને જ ફ્રોડ ગણાવ્યા છે.
અનિલ અંબાણીને માથે વધુ એક મોટી મુસીબત
બેંકોએ આરકોમના ખાતાને ગણાવ્યા ફ્રોડ
Jioએ આપ્યો હતો રિઝોલ્યુશન પ્લાન
Reliance Teleconના બેંક ખાતા ફ્રોડ
એજન્સી IANSના આધારે SBI, યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંક સામેલ છે. મળતી માહિતી અનુસાર આ બેંકોએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ટેલિકોમ લિમિટેડના બેંક એકાઉન્ટને પણ ફ્રોડ ગણાવ્યા છે. રિલાયન્સ ટેલિકોમ લિમિટેડ, આરકોમ એટલે કે રિલાયન્સ કમ્યુનિકેશનની 100 ટકા સબ્સિડિયરી છે.
Jio એ આપ્યો હતો રિઝોલ્યુશન પ્લાન
અનિલ અંબાણીને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેમના ગ્રૂપની કંપની રિલાયન્સ ઈન્ફ્રાટેલના રિઝોલ્યુશન પ્લાનને NCLTએ થોડા દિવસો પહેલાં મંજૂરી આપી હતી. અનિલ અંબાણીના મોટા ભાઈ મુકેશ અંબાણીની કંપનની રિલાયન્સ જિયોએ Reliance Infratelને માટે રિઝોલ્યુશન પ્લાન આપ્યો હતો. આ પ્લાનને NCLTએ મંજૂરી આપી હતી.
Jio કરશે Reliance Infratel નું અધિગ્રહણ
રિલાયન્સ જિયોની તરફથી આપવામાં આવેલા રિઝોલ્યુશન પ્લાનના આધારે રિલાયન્સ જિયો એક રીતે Reliance Infratel નું અધિગ્રહણ કરશે અને Reliance Infratelના દેશના 43000 ટાવર અને 1,72,000 કિલોમીટર સુધી ફેલાયેલી ફાઈબર લાઈન જિયોને મળી જશે.
RCom ના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરીની જોવાઈ રહી છે રાહ
Reliance Communications (RCom) ના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છે. તમને જણાવી દઈએ કે લેન્ડર્સે આરકોમ અને ટેલિકમ્યુનિકેશન લિમિટેડના રેઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી દીધી છે. હવે આ રિઝોલ્યુશન પ્લાનને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની મંજૂરી મળે તેની રાહ જોવાઈ રહી છે. આ બંને કંપનીઓના વેચાણથી બેંકને 18000 કરોડ રૂપિયા મળશે.