આજના સમયમાં રોકાણ માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે PPF સામાન્ય લોકો માટે પસંદગીનો વિકલ્પ બની ગયો છે. આ સ્કીમમાં કોઈ જ રિસ્ક વિના ગેરંટીડ રિટર્ન મળે છે. સાથે જ ટેક્સ સેવિંગ્સ માટે પણ આ એક સારો વિકલ્પ છે. જોકે, સરકારે હવે PPFથી જોડાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે. ચાલો જાણી તે નિયમો વિશે.
ભારત સરકારે PPF અકાઉન્ટને લઈને કર્યા ફેરફાર
પીપીએફમાં રોકાણ કર્યું હોય તો મળે છે ટેક્સ બેનિફિટ
લોન પર મળતા વ્યાજમાં થયો ઘટાડો
નવા નિયમ હેઠળ PPF અકાઉન્ટ હોલ્ડર એક વર્ષની અંદર ઘણી વખત પૈસા ડિપોઝિટ કરી શકે છે. આ પહેલાં એક નાણાકીય વર્ષમાં માત્ર 12 જ વખત પૈસા ડિપોઝિટ કરી શકાતા હતા. જોકે, આ અકાઉન્ટમાં એક વર્ષની અંદર કુલ 1.5 લાખ રૂપિયા જ જમા થઈ શકે છે.
અકાઉન્ટ હોલ્ડરને લોન પર મળતા વ્યાજમાં 1 ટકાનો ઘટાડો
નવા નિયમ મુજબ PPF અકાઉન્ટ હોલ્ડરને લોન પર મળતા વ્યાજમાં 1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ લોનની રકમ પર લેવામાં આવતું વ્યાજદર પીપીએફ ખાતા પરના વ્યાજ કરતા 2 ટકા વધારે હતું, જે હવે ઘટાડીને 1 ટકા કરી દેવામાં આવ્યું છે. અકાઉન્ટ હોલ્ડરની મૃત્યુની સ્થિતિમાં લોન પરનો વ્યાજ તેના નોમિનીએ ચૂકવવું પડશે. એટલું જ નહીં હવે પીપીએફ અકાઉન્ટ હોલ્ડર કોઈપણ નોન-હોમ પોસ્ટ ઓફિસ બ્રાન્ચ દ્વારા ગમે એટલી રકમ જમા કરાવી શકે છે. પોસ્ટલ વિભાગે તેની મંજૂરી આપી દીધી છે. અગાઉ તેની મર્યાદા માત્ર 25 હજાર રૂપિયા સુધીની હતી.
આ કારણથી મેચ્યોર થતાં પહેલાં જ ખાતું બંધ થઈ શકે છે
નવા નિયમ મુજબ, જો પીપીએફ અકાઉન્ટ હોલ્ડર બીજા દેશની નાગરિકતા લે છે, તો એવી સ્થિતિમાં ખાતું મેચ્યોર થતાં પહેલાં જ બંધ થઈ શકે છે. જોકે, અગાઉ આ નિયમ નહોતો. તમને જણાવી દઈએ કે, અકાઉન્ટને પ્રી-મેચ્યોર બંધ કરવાના કેટલીક ખાસ શરતો છે. ઉદાહરણ તરીકે, અકાઉન્ટ હોલ્ડર અથવા તેના આશ્રિત બાળકો ઉચ્ચ અભ્યાસ કરવા માગે છે.