કાશ્મીરમાં ધીમે ધીમે સામાન્ય બનતી જતી જિંદગીને ફરીથી ખોરવવા અને ભયનું વાતાવરણ ઉભું કરવા માટે આતંકવાદીઓએ હવે નવું ખતરનાક ષડયંત્ર રચ્યું છે. આતંકીઓ ગીચ અને ભીડભાડવાળા વિસ્તારોમાં બોમ્બ વિસ્ફોટો કરી રહ્યા છે અને ધંધાકીય સંસ્થાઓમાં આગ લગાવી રહ્યા છે.
તોફાની તત્વો લોકોની અવરજવરને અટકાવવા માટે પથ્થરમારો પણ કરે છે
આતંકવાદીઓએ બળજબરીથી ‘કાશ્મીર બંધ’ને અમલમાં મૂકવાની શરૂઆત કરી હતી
હકીકતમાં, કાશ્મીરમાં સુધરેલી પરિસ્થિતિને કારણે આતંકવાદીઓ બહુ નિરાશ થયા છે. બીજી તરફ પોલીસનું માનવું છે કે, બંધના એલાનનું પાલન ન કરીને સામાન્ય જિંદગીની શરૂઆત કરી રહેલા લોકોમાં ડરનું વાતાવરણ ઉભું કરવા માટે જ આતંકીઓ આવું કરી રહ્યા છે.
પોલીસ આતંકવાદી સમર્થકોને પકડવા માટે વિશેષ અભિયાન ચલાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હકીકતમાં, કાશ્મીરમાં સુધરેલી પરિસ્થિતિને કારણે આતંકવાદીઓ બહુ નિરાશ થયા છે. બીજી તરફ પોલીસનું માનવું છે કે, બંધના એલાનનું પાલન ન કરીને સામાન્ય જિંદગીની શરૂઆત કરી રહેલા લોકોમાં ડરનું વાતાવરણ ઉભું કરવા માટે જ આતંકીઓ આવું કરી રહ્યા છે.
અલગતાવાદીઓ અને આતંકવાદીઓએ હતાશ થઈને બળજબરીથી ‘કાશ્મીર બંધ’ને અમલમાં મૂકવાની શરૂઆત કરી હતી. આ આતંકીઓએ તેમનું ફરમાન ન સ્વીકારવા બદલ ટ્રકની પરપ્રાંતિય ચાર ડ્રાઈવર, સફરજનના બે વેપારીઓ, છ પરપ્રાંતિય કામદારો અને એક સ્થાનિક દુકાનદારની પણ હત્યા છે. ખુલ્લી દુકાનો પર સળગતાં ફટાકડાં પણ ફેંકવામાં આવે છે. તોફાની તત્વો લોકોની અવરજવરને અટકાવવા માટે પથ્થરમારો પણ કરે છે.
ગત સોમવારે આતંકીઓએ શ્રીનગરના હરિ સિંહ હાઈસ્ટ્રીટ વિસ્તારમાં ગ્રેનેડ હુમલો કર્યો હતો. તેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 40 લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ મંગળવારે ડાઉન-ટાઉનના જડીબલ વિસ્તારમાં પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. સોમવારે અને મંગળવારે મધરાતે બટમાલૂ બસ સ્ટેન્ડ પર રહસ્યમય સંજોગોમાં આગ લાગવાથી બે ડઝન દુકાનો સળગીને ખાખ થઈ ગઈ હતી.
દુકાનદારો માને છે કે આગ અચાનક લાગી નહોતી
બટમાલુ બસ સ્ટેન્ડ પર આગને કારણે સળગી ગયેલી દુકાનોની બહાર ઉભેલા પીડિત દુકાનદારો માને છે કે આગ અચાનક લાગી નહોતી, પણ કોઈએ જાણીજોઈને ઈરાદાપૂર્વક આ આગ લગાવી હતી. તેથી આ કેસની સઘન તપાસ થવી જોઈએ.
મુનીર ચિકન નામની દુકાનના માલિકે જણાવ્યું હતું કે, અમે છેલ્લા ઘણા દિવસોથી સતત દુકાનો ખોલી રહ્યા હતા. અમને તંત્ર દ્વારા સુરક્ષાની ખાતરી પણ આપવામાં આવી હતી, પરંતુ અમારી દુકાનો સળગીને ખાખ થઈ ગઈ છે. હવે પોલીસનું કહેવું છે કે, આ આગ ઈલેક્ટ્રિક વાયરમાં શૉટ સર્કિટથી લાગી છે, પરંતુ કોઈ આ વાતને સ્વીકારવા તૈયાર નથી.
બેંક કર્મચારીએ જણાવ્યું હતું કે લોકો ભયભીત છે. હું પોતે બેંકમાં આવતા ડરું છું
અખ્તર હુસેન નામના બેંક કર્મચારીએ જણાવ્યું હતું કે, શ્રીનગરમાં બે દિવસમાં જે રીતે આતંકી હુમલા થયા છે તેનાથી લોકો ભયભીત છે. હું પોતે બેંકમાં આવતા ડરું છું. મંગળવારે નૌશેરામાં સ્ટેટ બેંક નજીક પાર્કિંગમાં પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. આ એ લોકો માટે ચેતવણી હતી, જેઓ આતંકીઓએ આપેલા બંધના હુકમનું પાલન નથી કરી રહ્યા.