પેટ્રોલિયમ મંત્રાલયમાં નવા નિમણૂક પામેલા મંત્રી હરદીપ સિંહ પૂરી કઈ રીતે પેટ્રોલની કિંમતમાં ઘટાડો કરે છે કે નહિ તેના પર સમગ્ર દેશની નજર છે.
હરદીપ સિંહ પૂરીને પેટ્રોલિયમ મંત્રાલય આપવામાં
મોંઘવારીને લઈ લોકોનો આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો છે
હાલના સમયમાં ઉર્જાના કુલ વપરાશમાં ગેસનો 15 ટકા
હરદીપ સિંહ પૂરીને પેટ્રોલિયમ મંત્રાલય આપવામાં
મોદી સરકારની નવી કેબિનેટમાં હરદીપ સિંહ પૂરીને પેટ્રોલિયમ મંત્રાલય આપવામાં આવ્યું છે. આજથી મોટા ભાગના બધા જ મંત્રીઓએ તેમને સોંપવામાં આવેલ મંત્રાલયોનો કાર્યભાર સંભાળ્યો છે. તેમના પહેલા આ મંત્રાલયની જવાબદારી ધર્મેન્દ્ર પ્રધાન પાસે હતી. હાલ સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એક નવા જ રેકોર્ડ બનાવી રહી છે. જેના કારણે દેશ ભરમાં તેનો વિરોધ થઈ રહ્યો છે.
મોંઘવારીને લઈ લોકોનો આક્રોશ દિવસેને દિવસે વધી રહ્યો છે
દેશમાં મોંઘવારીને લઈ લોકોનો આક્રોશ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે અન્ય રાજ્યોમાં આ કિંમત તેની સાવ નજીક છે. જો ડિઝલની કિંમતની વાત કરીએ તો તે પણ 100 રૂપિયાને પાર કરી ચૂકી છે. આ બધી સ્થિતિ વચ્ચે આ મંત્રાલયમાં નવા નિમણૂક પામેલા મંત્રી હરદીપ સિંહ પૂરી કઈ રીતે આ કિંમતમાં ઘટાડો કરે છે કે નહિ તેના પર સમગ્ર દેશની નજર છે. તેઓએ કાર્યભાળ સંભાળ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે પેટ્રોલિયમ મંત્રી બનાવતા તેઓ PM મોદીનો આભાર માને છે અને ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવેલ સારા કામને વધુ આગળ લઈ જશે.
હાલના સમયમાં ઉર્જાના કુલ વપરાશમાં ગેસનો 15 ટકા
આ દરમિયાન તેમણે કહ્યું કે આ એક એવું મંત્રાલય છે જેમાં ભારતના નાગરિકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સીધો સંબંધ રાખે છે. તેમને જ્યારે પેટ્રોલ અને ડીઝલના વધતાં ભાવ વિશે સવાલ કર્યો તો તેમણે સીધો જવાબ ન આપ્યો. પણ આ મામલે તેમણે કહ્યું કે હજી તેમના પર સોંપવામાં આવેલ જવાબદારીને થોડો જ સમય થયો છે અને તેઓ આ મુદ્દે પછી વાત કરવા માંગે છે. તેમણે કાચા તેલ અને ગેસ માટે ઘરેલુ ઉત્પાદન વધારવાની વાત કહી, સાથે જ તેમણે કહ્યું કે તેમનું વધારે ધ્યાન ભારતની ગેસ આધારિત વ્યવસ્થા બનાવવા પર હશે. કોઈ પણ અર્થ વ્યવસ્થા માટે ઉર્જા એકદમ વધુ હોય છે. હાલના સમયમાં ઉર્જાના કુલ વપરાશમાં ગેસનો 15 ટકા ભાગ છે. તેમણે કહ્યું કે હવે આ વધારીને 20 થી 30 ટકા કરવાની જરૂર છે.