ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા ઓગસ્ટમાં ખેડૂત કાયદાઓ લાગુ કરવાના આદેશો અપાયા હતા. જોકે, જો અહેવાલોને માનવામાં આવે તો કોંગ્રેસ ના દબાણમાં આવ્યા પછી ઉદ્ધવ ઠાકરે એ તે જ જૂનો નિર્ણય ફેરવી તોળ્યો છે.
મહારાષ્ટ્રમાં લાગૂ નહી થાય ખેડૂત કાયદાઓ
કોંગ્રેસના દબાણમાં ઉદ્ધવ ઠાકરેએ લીધો નિર્ણય
ઓગસ્ટમાં ખેડૂત કાયદાઓ લાગૂ કરવા આદેશો આપ્યા હતા
મહારાષ્ટ્ર સરકાર વિવાદિત ખેડૂત કાયદાઓ નો અમલ કરશે નહીં. લાંબા સમય સુધીની અવઢવ પછી ઉદ્ધવ ઠાકરે સરકારે પોતાનો જૂનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. હકીકતમાં, ઉદ્ધવ સરકારે ઓગસ્ટમાં જ ખેડૂત કાયદાઓ લાગુ કરવા માટેનો આદેશો આપ્યા હતા.
જૂનો નિર્ણય ઉદ્ધવ ઠાકરે એ ફેરવી તોળ્યો
જોકે, જો અહેવાલોને માનવામાં આવે તો કોંગ્રેસના દબાણમાં આવ્યા પછી ઉદ્ધવ ઠાકરે એ તે જ જૂનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. નોંધનીય છે કે આ બિલ ગત સપ્તાહે જ સંસદમાં પસાર કરાયા હતા અને તેમને રાષ્ટ્રપતિની પણ મંજૂરી મળી ગઈ છે. આ ખેડૂત કાયદાઓ ને લઈને આખા દેશમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, પરંતુ મહારાષ્ટ્ર સરકારે તેના પસાર થયા પહેલા તેનો અમલ કરવાનો નિર્ણય લીધો હતો.
ત્રણેય વટહુકમો લાગુ કરવા આદેશ આપ્યો હતો
10 ઓગસ્ટ ના રોજ જાહેર કરાયેલા એક જાહેરનામામાં, તમામ કૃષિ પેદાશો અને પશુધન બજાર મંડળીઓ ( APMC ) અને જિલ્લા કૃષિ સહકારી મંડળને રાજ્યમાં સૂચિત કાયદા અંગે ત્રણ વટહુકમો 'કડક રીતે લાગુ' કરવા આદેશ અપાયો હતો. આ ખેડૂત પેદાશો વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) બિલ 2020, ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) કૃષિ સેવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) બિલ 2020 પરના ભાવ ખાતરી અને કરાર બિલ 2020 હતા.
શિવસેના નું સ્ટેન્ડ ક્લીયર નહોતું
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિકાસ આઘાડી ગઠબંધનના બંને પક્ષોના કોંગ્રેસ અને NCP સતત કહેતા હતા કે રાજ્યમાં તેનો અમલ થવા નહી દેવાય, પરંતુ શિવસેનાનું વલણ તેને લઈને સ્પષ્ટ નહોતું. જો કે તે હવે આ ખેડૂત કાયદાઓ અંગે કેન્દ્ર સરકારની ટીકા કરી રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું," રાજ્યમાં લાગૂ નહિ થવા દેવાય કૃષિ કાયદા"
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે તાજેતરમાં કહ્યું હતું કે રાજ્યમાં ખેડૂત કાયદાઓ લાગુ કરવામાં આવશે નહીં. રાજ્યના મહેસૂલ પ્રધાન અને મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા બાલાસાહેબ થોરાટે કહ્યું હતું કે તમામ શાસક પક્ષો આ નવા કાયદાની વિરુદ્ધ છે. રાજ્યમાં તેમનો અમલ નહીં કરવાનો નિર્ણય ચર્ચા-વિચારણા બાદ સામૂહિક રીતે લેવામાં આવશે.