ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાન કાર્ડના ઉપયોગને લઇને મોટો બદલાવ કર્યો છે એપ્લિકેશન ફોર્મમાં પિતાના નામની અનિવાર્યતાને સમાપ્ત કર્યા બાદ ટેક્સ ડિપાર્ટમેન્ટે વધુ એક ફેરફાર કર્યો છે.
નવો નિયમ 5 ડિસેમ્બર 2018થી લાગૂ થશે. કેન્દ્રીય ટેક્સ બોર્ડ સીબીડીટીએ કહ્યું છે કે ઇન્ડીવિઝ્યુઅલને છોડી જો કોઇ પણ 2.50 લાખ અથવા તેનાથી વધારે નાણાની લેવડ-દેવળ કરે છે તો તેણે 31 મે 2019 સુધી પાન કાર્ડ માટે એપ્લાય કરવું જરૂરી છે.
એટલે કે જો તમે કોઇ કંપનીના મેનેઝિંગ ડાયરેક્ટર છો અથવા ડાયરેક્ટર પાર્ટનર ટ્રસ્ટી ઓથર ફાઉન્ડર સીઇઓ અને પ્રિન્સિપલ ઓફ સર છો. અને તમારી પાસે પાન કાર્ડ નથી તો તમારે 31 મે સુધી પાન કાર્ડ માટે એપ્લાય કરવું જરૂરી છે.
આની પહેલા ઇનકમ ટેક્સ વિભાગે પાન કાર્ડ એપ્લિકેશન ફોર્મમાં મોટો ફેરફાર કર્યો છે. હવે આ ફોર્મમાં પિતાનું નામ એડ કરાવવું ફરજિયાત નથી.
આ નવો નિયમ પણ 5 ડિસેમ્બરથી લાગૂ થશે. એપ્લિકેશન ફોર્મમાં થયેલા આ ફેરફારનો ફાયદો સૌથી વધારે એમને મળશે જે સિંગલ મધર છે.