રેલ મંત્રાલયે રવિવારે જાહેરાત કરી હતી કે મંડપમમાં (Mandapam) નવા 2.05 કિમીના પમ્બન રેલવે પુલ (Pamban railway bridge)નું નિર્માણ 2022 સુધી પુરુ કરવામાં આવશે.
દેશનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ
નિર્માણ 2022 સુધી પુરુ કરવામાં આવશે
જુઓ તસ્વીરો
તમિલનાડુ રાજ્યનું નવું પમ્બન બ્રિઝ એટલે કે દેશનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ (India first vertical lift Railway sea bridge) ટૂંક સમયમાં જ બનીને તૈયાર થવાનું છે. આ પરિયોજનાનો આવતા વર્ષે માર્ચ સુધી પૂર્ણ થવાની સંભાવના છે. રેલ મંત્રાલયે (Ministry Of Railways)એ રવિવારે જાહેરાત કરી હતી કે મંડપમમાં (Mandapam) નવા 2.05 કિમીના પમ્બન રેલવે પુલ (Pamban railway bridge)નું નિર્માણ 2022 સુધી પુરુ કરવામાં આવશે. આ બ્રિજ રામેશ્વરમને તમિલનાડુ સાથે જોડાશે.
નવો પુલ 2.07 કિમી લાંબો હશે. જે એ ભક્તો અને તીર્થયાત્રીઓ માટે એક વરદાન હશે જે રામેશ્વરમ અને ધનુષકોડી, તમિલનાજુની આધ્યાત્મિક યાત્રા કરવા માંગે છે. કહેવામાં આવે છે કે જુના પમ્બન બ્રિજને પમ્બન દ્વીપને મુખ્ય ભુમિ ભારત સાથે જોડાવામાં મહત્વપૂર્ણ ભુમિકા નિભાવે છે. આવનાર મહિનાઓમાં જુના પમ્બન બ્રિજને ન્યૂ પમ્બન બ્રિઝ સાથે બદલી દેવામાં આવશે. જેના માટે 280 કરોડ રૂપિયાની અંદાજીત રકમનું રોકાણ કરવામાં આવશે.
રેલવે વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વિકસિક કરવામાં આવેલો નવો પમ્બન બ્રિજ, ભારતનો પહેલો વર્ટિકલ લિફ્ટ રેલ સી બ્રિઝ હશે. તેનું નિર્માણ જુના રેલવે પુલના સમાનાતર કરવામાં આવી રહ્યું છે. 2.07 કિમી લાંબા આ નવા પુલને આધુનિક ટેક્નીકની મદદથી બનાવવામાં આવે છે. આ પહેલા રેલ મંત્રાલયે કહ્યું હતું કે નવા પુલની ખુબી એ રહી છે કે યાત્રા વખતે જહાજોને પસાર થવાની અનુમતિ આપવા માટે તેના માધ્ય ભાગને ઉપર ઉઠાવવામાં આવશે. તમિલનાડુમાં આવનાર નવા પમ્બન બ્રિજથી આ ક્ષેત્રમાં પર્યટનને પ્રોત્સાહનની આશા છે. ખાસ કરીને તીર્થપાત્રાના ઉદ્ધેશ્યથી દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો રામેશ્વરમ મંદિર અને જ્યોતિરલિંગના દર્શન કરવા માટે આવે છે.
New Pamban Bridge: An engineering marvel !
This dual-track state-of-the-art bridge will be the country's first Vertical Lift Railway Sea Bridge and is expected to be completed by March 2022. pic.twitter.com/BaFVxAVkCM
નિર્માણ થવા પર ભારતીય રેલવેનો નવો પમ્બન બ્રિજ, 18.3 મીટરના 100 સ્પેનની સાથે 2 કિમીથી વધુ લાંબો હશે અને સાથે જ 63 મીટરના એક નેવિગેશનલ સ્પેન હશે. જે જહાજો અથવા સ્ટીમરોની અવર જવરને સક્ષમ કરતા ઉપર ઉઠશે. જૂના પુલમાં જહાડોની અવર જવરને સક્ષમ કરવા માટે શેરજર સ્પેનને મ્યુઅલ રૂપથી સંચાલિત કરવામાં આવે છે. જ્યારે આગામી એક ઈલેક્ટ્રો-મેકેનિકલ નિયંત્રિત પ્રણાલીથી લેસ હશે. આ નિર્બાધ પ્રણાલી પ્રદાન કરતા ટ્રેન નિયંત્રણ પ્રણાલીની સાથે ઈન્ટરલોક કરવામાં આવશે.