કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નવા મોટર વાહન બિલ હેઠળ ઉચ્ચ દંડના બચાવ કરતા કહ્યુ કે, 'આ પાછળનો વિચાર લોકોના નિયમોને અનુરૂપ બનાવ્યો છે અને પૂછ્યુ કે લોકો માટે શું વધારે મહત્વપૂર્ણ છે જીવન કે ધન'
નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ નવા કાયદા હેઠળ ઉચ્ચ દંડની ટીકા કરવાનો બચાવ કરતા કહ્યુ કે, જે લોકો કાયદો તોડી રહ્યા છે, તેઓ દંડ ભરી રહ્યા છે. જો કોઇ કાયદો નહી તોડે, તો તેણે દંડ ભરવાની આવશ્યકતા કેમ પડશે?
નીતિન ગડકરીએ કહ્યુ કે, ''રેડ લાઇટના નિયમ કેમ તોડી રહ્યા છે. દુર્ઘટનાઓ દરરોજ થાય છે, લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જો લોકોને કાયદાનો ડર હશે, તો નિયમનુ પાલન કરશે.'' નીતિન ગડકરીએ મોટર વાહન બિલ, 2019 હેઠળ ઉચ્ચ દંડની જોગવાઇનો બચાવ કરતા કહ્યુ કે, ''લોકો માટે શું મહત્વપૂર્ણ છે જીવન કે ધન''
આ પહેલા કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, ''લોકો રસ્તા સુરક્ષા નિયમોને ગંભીરતાથી નથી લઇ રહ્યા અને થોડો દંડ ભરીને સરળતાથી નીકળી જાય છે. જ્યાં સુધી કડક કાયદોઓ ના બનાવવામાં આવે ત્યાં સુધી કંઇ નહી થાય. નવા નિયમો આવ્યા પછી હજુ સુધી લાઇસન્સ. વીમા માટે અરજી કરી રહ્યા છે અને હેલ્મેટ ખરીદી રહ્યા છે, જેનાથી હજારોની જિંદગી બચી જશે.''
આ કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ પોતાના જીવનના વિભિન્ન પહેલુઓ, બાળપણ, પરિવાર, રાજનીતિ અને દેશ માટે તેમના દ્રષ્ટિકોણની વાત કરી અને સાથે જ સામાજિક અને ઇનોવેટિવ પ્રોજેક્ટ પર વિચાર રજૂ કર્યા.