ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળનાર છે ત્યારે બેઠક વ્યવસ્થાને લઈ મુંઝવણ સર્જાઈ છે, હવે નવી સરકાર અસ્થિત્વમાં આવતા પૂર્વ મંત્રીઓ અને સિનિયર મંત્રીઓની બેઠક વ્યવસ્થાને લઈને સવાલ ઉભો થયો છે.
વિધાનસભામાં બેઠક વ્યવસ્થાને લઈ મુંઝવણ
કોણ ક્યાં બેસશે તેને લઈ મુકાયા મુંઝવણમાં
સિનિયર મંત્રીઓને પ્રથમ હરોળમાં જ સ્થાન
ગુજરાત વિધાનસભાનમાં બે દિવસ સોમાસું સત્ર મળી રહ્યું છે ત્યારે નવી સરકારના નવા મંત્રીઓ અને પૂર્વ સરનારના જુના મંત્રીઓની બેઠક વ્યવસ્થાને લઈને સવાલ ઉભો થયો છે. મહત્વનું છે કે ગુજરાત સરકારમાં ધરખમ ફેરફારો સાથે આખી સરકાર જ નવી બનાવવામાં આવી છે, જ્યારે જૂની સરકાર અને સિનિયર મંત્રીઓને ઘરભેગા કરી દેવામાં આવ્યા છે પરતું હવે જ્યારે ગુજરાત વિધાનસભાનું સોચાસું સત્ર મળતા જઈ રહ્યું છે તેમા કોણ ક્યાં બેસવું તે સ્થિતિ ઉભી થઈ છે.
વિધાનસભામાં બેઠક વ્યવસ્થાને લઈ મુંઝવણ
આ બેઠક વ્યવસ્થામાં પૂર્વ મુખ્યમંત્રી સહિતના સિનિયર મંત્રીઓને પાછળની હરોળમાં સ્થાન આપી અપમાન જનક સ્થિતિમાં મુકાવવું ના પડે અને તેમનું માન સમ્માન જળવાય તે માટે વિધાનસભામાં ખાસ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં પૂર્વ મંત્રીઓને નવી સરકારની પડખેની પ્રથમ હરોળમાં બેસાડવામાં આવશે ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સિનિયર મંત્રીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવનાર છે જ્યારે બાકીના પૂર્વ મંત્રીઓને તો પાછળની લાઈનમાં જ બેસવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.
સિનિયર મંત્રીઓને પ્રથમ હરોળમાં જ સ્થાન
મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની બે દિવસ ચાલનાર આ બેઠકમાં નવી સરકારના નવા મંત્રીઓ પાછલી હરોળમાંથી પ્રથમ હરોળમાં બેસશે. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સિનિયર પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ પ્રથમ હરોળમાં સ્થાન લેશે. મુખ્યમંત્રી અને મંત્રીઓની પડખેની પ્રથમ લાઇનમાં જ બેસાડવામાં આવશે.
રૂપાણી, નીતિન પટેલને પણ પ્રથમ હરોળમાં
ઉલ્લેખનિય છે કે કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ગુજરાત વિધાનસભામાં સભ્યોને બેસવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાતું હોવાથી એક બેઠક પર બેને બદલે એક જ સભ્ય બેસી શકે છે. અહીં એ વાત પર જાણવી જરૂરી છે કે છ માસ પહેલાં માર્ચમાં મળેલાં સત્ર દરમિયાન સિનિયર ધારાસભ્યોને ગૃહની અંદર પાટલી પર બેસાડાયા હતા, જ્યારે જુનિયર ધારાસભ્યોને વ્યૂઇંગ ગેલેરીમાં બેસાડાયા હતા. અહીં આ પ્રકારની બેઠક વ્યવસ્થા નક્કી કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સિનિયર મંત્રીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. બાકીના પૂર્વ મંત્રીઓને તો પાછળની લાઈનમાં જ બેસવું પડશે.