બર્લિનઃ શું સૂરજની રોશની પાણીને પ્યોરિફાયર એટલે કે શુદ્ધ કરવાનું કામ કરી શકતી હોય છે. એક નવા અભ્યાસનું જો આપણે માનીએ તો આવું શક્ય બની શકે છે. હકીકતમાં વૈજ્ઞાનિકોએ એક સરળ રસ્તો શોધી કાઢ્યો છે કે જેને આધારે સૂરજની રોશનીનો ઉપયોગ કરતા પાણીમાં રહેલા પ્રદૂષકોને દૂર કરી શકાય. જર્મનીમાં માર્ટિન લૂથર વિશ્વવિદ્યાલય (એમએલયૂ) હેલે વિટેનબર્ગનાં શોધકર્મીઓએ પ્રદૂષકોને હટાવવા માટે પાણીમાં સરળતાથી ગતિશીલ ઇલેક્ટ્રોન્સ એટલે કે હાઇડ્રેટેડ ઇલેક્ટ્રોન્સનો ઉપયોગ કર્યો.
એમએલયૂમાં પ્રોફેસર માર્ટિન ગોએજે જણાવ્યું કે "આ ઇલેક્ટ્રોન વધારે પ્રતિક્રિયાશીલ છે અને પ્રતિક્રિયા અંતર્ગત આનો ઉપયોગ કરી શકાય છે. આ સખ્ત પ્રદૂષકોને પણ તોડવામાં સક્ષમ છે."
આને માટે ઇલેક્ટ્રોનને આણ્વિક યૌગિકોથી છોડવા પડે છે કે જ્યાં આને સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવે છે.અત્યાર સુધી આવા ઇલેક્ટ્રોનને પેદા કરવા ખૂબ જટિલ અને ખર્ચીલું છે. શોધકર્મીઓએ એક નવી જ પ્રક્રિયા વિકસિત કરી છે કે જેમાં ઉર્જાનાં એક માત્ર સ્ત્રોતનાં રૂપમાં ગ્રીન લાઇટ એમિટિંગ ડાયોડની જરૂરિયાત હોય છે. વાંછિત પ્રતિક્રિયા કરાવવા માટે ઉત્પ્રેરક તરીકે વિટામીન સી અને ધાતુ મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે.
નવી પ્રક્રિયાની આગળની વધુ તપાસથી માલૂમ થયું કે હાઇડ્રેટેડ ઇલેક્ટ્રોન પેદા કરવાનો આ સક્ષમ આઇડીયા છે અને આ સાથે જ આનાં હજી વધારે ઉપયોગ થઇ શકે છે. શોધકર્મીઓએ નવા આઇડીયાનો ઉપયોગ પ્રદૂષિત પાણી પર કર્યો. નાના સેમ્પલમાં આ વિધિથી પાણીનાં પ્રદૂષકોને હટાવવામાં સહાયતા મળી.