ઓમિક્રોન વેરિઅન્ટનો નવો વંશ, એટલે કે લીનિયેઝ, ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં અનેક નમૂનાઓમાં જોવા મળ્યો છે.
ઓમિક્રોનના નવા વેરિયન્ટે વધાર્યું ટૅન્શન
ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં લેવાયેલા નમૂનાઓમાં મળ્યો જોવા
RT-PCR ટેસ્ટમાં પણ નથી પકડાતો આ વેરિયન્ટ
વિશ્વભરના વૈજ્ઞાનિકો પહેલાથી જ કોરોના વાયરસના આ પ્રકાર વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે તેના પહેલાના ડેલ્ટા વેરિઅન્ટ કરતા વધુ ચેપી છે. અહેવાલો સૂચવે છે કે ક્વીન્સલેન્ડમાં મળી આવેલ ઓમિક્રોનનો આ નવો વંશ દક્ષિણ આફ્રિકાના પ્રવાસીમાંથી મળી આવ્યો છે. આ વંશમાં લગભગ અડધા જનીનો મૂળ ઓમિક્રોનથી અલગ છે.
RT-PCR ટેસ્ટમાં પણ નથી પકડાતો આ વેરિયન્ટ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અત્યાર સુધી કોરોનાના મ્યુટન્ટ્સના બે વંશજો વિશે માહિતી છે, જેમાંથી એક BA. 1 અને બીજી BA. 2. મૌલિક Omicron Ba1 તરીકે ઓળખાય છે. બંને ભિન્નતાઓમાં કેટલાક પરિવર્તનો સમાન છે, કેટલીક માહિતી બંને રેખાઓમાં મ્યૂટેશનની હાજરીના આધારે મેળવવામાં આવી છે, જે મુજબ નવો વંશ એટલે કે BA. 2ને સામાન્ય તપાસમાં પકડવો મુશ્કેલ છે.
ચિંતા વધી
ઉલ્લેખનીય છે કે, દિલ્હી સ્થિત ઈન્સ્ટીટ્યૂટ ઓફ જોનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજીમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક વિનોદ સકારિયાનું કહેવું છે કે, આ નવા વંશને લઈને ગભરાવાની કોઈ જ જરૂર નથી. આ મહામારી વિજ્ઞાન દેખભાળ માટે ઉત્તમ છે. વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે, આ નવો વેરિયન્ટ નથી પરંતુ નવો વંશ છે એટલે કે તે નવા વેરિયન્ટનો ઉપવર્ગ છે.
ભારતમાં કોરોનાની સ્થિતિ
બુધવારે મંગળવારની સરખામણીએ 1500થી વધારે મામલા સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જારી આંકડા અનુસાર ગત 24 કલાકમાં કોરોના સંક્રમણના 8439 મામલા સામે આવ્યા છે. જ્યારે 195 લોકોના મોત થયા છે. આ દરમિયાન 9525 લોકો સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં અત્યાર સુધી કુલ 93,733 સક્રિય દર્દી બચ્યા છે. ત્યારે દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 3,46,56,822 મામલા આવી ચૂક્યા છે. જ્યારે કુલ 3,40,89,137 લોકો સાજા થયા છે. તો મરનારની સંખ્યા 4,73,952 થઈ ગઈ છે.
ગત 65 દિવસમાં દૈનિક પોઝિટિવિટી દર 0.70 ટકા
દેશમાં સક્રિય મામલા કુલ મામલાના એક ટકાથી ઓછા છે અને વર્તમાનમાં 0.27 ટકા છે. ગત 65 દિવસમાં દૈનિક પોઝિટિવિટી દર 0.70 ટકા છે. જે 2 ટકાથી ઓછા છે. ગત 24 દિવસમાં 0.76 ટકાના અઠવાડિક પોઝિટિવિટી દર એક ટકાથી પણ ઓછો છે.
ભારતમાં અત્યાર સુધી કુલ 65, 06, 60, 144 સેમ્પલ ટેસ્ટ
ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ અનુસાર ભારતમાં મંગળવારે કોરોના વાયરસ માટે 12,13, 130 સેમ્પલ ટેસ્ટ કર્યા છે અત્યાર સુધીમાં કુલ 65,06,60,144 સેમ્પલના ટેસ્ટ થઈ ચૂક્યા છે.