ઉત્તરાખંડનો ચમોલી જિલ્લો હજું સંકટમાંથી બહાર નથી આવ્યો. તેના પર તોડાઈ રહ્યું છે એક મોટું સંકટ.
જો આ તુટ્યુ તો પછી મોટી હોનારત થઈ શકે છે
વૈજ્ઞાનિકોએ હેલિકોપ્ટરથી ઋષિગંગાના ઉપરના વિસ્તારનો સર્વે કર્યો
એનડીઆરએફની એક ટીમને નવા તળાવ પર મોકલવાની તૈયારી કરાઈ
જો આ તુટ્યુ તો પછી મોટી હોનારત થઈ શકે છે
હાલમાં બનેલી ઘટના બાદ હવે ઋષિગંગાના ઉપરના ભાગ એટલે કે અપસ્ટ્રીમ પર એક વધુ અસ્થાયઈ તળાવ બનતુ જોવા મળી રહ્યું છે. જો આ તુટ્યુ તો પછી મોટી હોનારત થઈ શકે છે. આ બાબતની પુષ્ટિ દહેરાદુન સ્થિત વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજીના વૈજ્ઞાનિકોએ કરી છે. આ સંસ્થાનના વૈજ્ઞાનિકોએ હેલિકોપ્ટરથી ઋષિગંગાના ઉપરના વિસ્તારનો સર્વે કર્યો. આ બાદ તેમને એક તળાવ બનતું જોવા મળ્યુ. વાડિયા ઈન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટના જણાવ્યાનુંસાર આ તળાવનો આકાર 10થી 20 મીટર છે.
જો આ તળાવનો આકાર વધતો રહ્યો તો...
વધારે ઉંચાઈથી સર્વે કરવાના કારણે તળાવના એક્ઝેટ આકારની ખબર નથી પડી રહી. પરંતુ જો આ તળાવનો આકાર વધતો રહ્યો અને પછી તુટ્યો તો મોટી હોનારત થઈ શકે છે. એટલા માટે તેને તોડીને તેનું પાણી હટાવવું પડશે. વાડિયા સંસ્થાનના વૈજ્ઞાનિકોએ માન્યુ છે કે શક્ય છે કે હેંગિગ ગ્લેશિયર ટૂટ્યા બાદ જે કાદવ નીચે આવ્યો તેના કારણે આ તળાવ બન્યુ છે.
અત્યારે આ તળાવમાં વધારે પાણી જમા નથી થયુ.
એરિયલ તસવીરોના જણાવ્યાનુંસાર અત્યારે આ તળાવમાં વધારે પાણી જમા નથી થયુ. એટલા માટે ડરવાની જરુર નથી પરંતુ ભવિષ્યમાં આ સંકટ બને તે પહેલા તેનો ઉકેલ લાવવો જરુરી છે. આ તળાવ ઋષિગંગા પ્રોજેક્ટથી 6 કિમી ઉપરની તરફ બન્યું છે. આ તળાવ રૈણી ગામથી પણ ઉપર છે. આની જાણકારી રાજ્ય અને કેન્દ્ર સરકારને આપવામાં આવી છે.
તે એક તળાવના રુપમાં છે
જ્યાં ગ્લેશિયર તુટ્યો છે. તેને રોંટી પીક કહેવામાં આવે છે. ગ્લેશિયર તુટીને જ્યારે નીચે આવ્યો તો તેની સાથે ભેખળો પણ આવી હતી. આ ભેખળો રોંટી સ્ટ્રીમ અને ઋષિગંગાના મિલન સ્થાન પર જમા થઈ છે. જેના કારણે અસ્થાયી બંધ બની ગયો. એ બાદ જે પાણી ત્યાં જમા થઈ રહ્યું છે તે એક તળાવના રુપમાં છે.
પાણીનો રંગ બ્લૂ દેખાય છે એટલે બની શકે છે કે તળાવ જૂનું હોય
વાડિયા ઈન્સ્ટિટ્યૂટના જણાવ્યાનુંસાર આ તળાવના પાણીનો રંગ બ્લૂ દેખાય છે એટલે બની શકે છે કે તળાવ જૂનું હોય. પરંતુ આના વહેણની તરફનો બંધ તુટ્યો તો વધુ એક પુર આવી શકે છે. હાલમાં ઋષિગંગાના પાણીનો ફ્લો નીચેની તરફ નથી આવી રહ્યો. અત્યાર સુધી આ તળાવમાં કેટલું પાણી જમા છે તે જાણી શકાયું નથી.
એનડીઆરએફની એક ટીમને નવા તળાવ પર મોકલવાની તૈયારી કરાઈ
ઉલ્લેખનીય છે કે ગુરુવારે ઋષિગંગાના પાણીનું સ્તર વધવાના કારણે તપોવન પાવર પ્રોજેક્ટની પાસે ચાલી રહેલુ રેસ્ક્યૂ કામ રોકવું પડ્યું હતુ. તળાવના ખુલાસા બાદ એનડીઆરએફની એક ટીમને આ જગ્યાએ મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. જ્યાં નવા તળાવનું નિર્માણ થયું છે જેથી વધારે માહિતી મેળવી શકાય.