નિર્મલા સીતારમણે કહ્યું કે, 5 લાખ રૂપિયા સુધીની આવક વાળાને જૂનીની જેમ નવી વ્યવસ્થામાં પણ ટેક્સ નહીં આપવો પડે. ત્યારે 5 લાખથી 7.5 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકાના બદલે 10 ટકા ટેક્સ આપવો પડશે. આ વખતે ઇન્કમ ટેક્સ જાહેરાત કંઇક એવી છે કે લોકોને ગૂંચવણમાં નાખી દીધા છે. તમારી આ ગૂંચવણોને દૂર કરવા માટે અમે ટેક્સ કન્સલટેન્સી સાથે વાતચીત કરી...
ટેક્સ સ્લેબમાં ફેરફાર અંગે લોકોમાં અસમંજસ
ટેક્સપેયર્સ આ બે વિકલ્પ પ્રમાણે ઇન્કમ ટેક્સ ભરી શકશે
વિકલ્પ પસંદ કરવા માટે તમારે તમારી કંપનીને જણાવવું પડશે
1) સવાલઃ ઇનકમ ટેક્સનો નવો નિયમ?
જવાબઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આ વખતે કરદાતાઓને બે વિકલ્પ આપવામાં આવ્યા છે. તમારી આવક 2.5 લાખ સુધીની છે તો ટેક્સ ફ્રી રહેશે, પરંતુ તેના પરની આવક પર ટેક્સ બચાવવા માટે રોકાણ કરવું પડશે. તમારી આવક 5,00,001 રૂપિયા થાય છેતો તમારે ટેક્સેબલ ઇન્કમ પર ટેક્સ આપવો પડશે.
હવે માની લોક તમારી આવક 10 લાખ રૂપિયા વાર્ષિક છે તો બજેટ 2020ની જાહેરાત હેઠળ તમને નવા સ્લેબ અનુસાર ટેક્સ આપવો પડશે. જેમાં 2.5 લાખથી 5 લાખ સુધીની આવક પર 12,500 રૂપિયા ટેક્સ આપવો પડશે. જેના પરની આવક પર નવા સ્લેબ અનુસાર ટેક્સ આપવો પડશે. રિઝીમ-1 એટલે કે વિકલ્પ-1 હેઠળ આ વખતે તમારે રોકાણ દ્વારા કોઇ પ્રકારના ટેક્સની બચત નહીં થાય.
2) સવાલઃ મારી આવક જો 10 લાખ રૂપિયા છે તો નવા વિકલ્પ અનુસાર કેટલો ટેક્સ આપવો પડે?
જવાબઃ જો તમારી આવક 10 લાખ રૂપિયા છે તો તમારે નવા વિકલ્પમાં 75 હજાર રૂપિયા ટેક્સ આપવો પડશે. ત્યારે, જૂના હિસાબથી જો તમે રોકાણ, છૂટ અને અન્ય માધ્યમો દ્વારા આ પ્રકારની છૂટ નથી લેતા તો તમારે ટેક્સ 1,12,500 રૂપિયા બનશે. નવા હિસાબથી તમારે 37,500 રૂપિયા બચશે.
3) સવાલઃ મારી આવક જો 7.5 લાખ રૂપિયા છે તો નવા વિકલ્પ અનુસાર કેટલો ટેક્સ આપવો પડે?
જવાબઃ જો તમારી આવક 7.5 લાખ રૂપિયા છે તો તમારે નવા વિકલ્પમાં 37,500 રૂપિયા ટેક્સ આપવો પડશે. ત્યારે, જૂના હિસાબથી જો તમે રોકાણ છૂટ અને અન્ય માધ્યમો દ્વારા દરેક પ્રકારની છૂટ નથી લેતા તો તમારે ટેક્સ 62,500 રૂપિયા બને છે. નવામાં તમારે 25 હજારની બચત થશે.
4) સવાલઃ મારી આવક જો 15 લાખ રૂપિયા છે તો નવા વિકલ્પ અનુસાર કેટલો ટેક્સ આપવો પડે?
જવાબઃ જો તમારી આવક 15 લાખ રૂપિયા છે તો તમારે નવા વિકલ્પમાં 1,87,500 રૂપિયા ટેક્સ આપવો પડશે. ત્યારે, જૂના હિસાબથી જો તમે રોકાણ છૂટ અને અન્ય માધ્યમો દ્વારા દરેક પ્રકારની છૂટ નથી લેતા તો તમારે ટેક્સ 2,62,500 રૂપિયા બને છે. નવામાં તમારે 75 હજારની બચત થશે.
5) સવાલઃ મારી વાર્ષિક આવક 15 લાખ રૂપિયા છે તો નવી ટેક્સ વ્યવસ્થામાં સેવિંગ દ્વારા કેટલી બચત કરી શકું છું.
જવાબઃ નવી વ્યવસ્થામાં સેવિંગ દ્વારા ટેક્સ બચતનો કોઈ વિકલ્પ નથી. જો તમે સેવિંગ દ્વારા ટેક્સ બચાવવા માંગો છો તો તમારે જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરવી પડશે.
6) સવાલઃ ટેક્સ વ્યવસ્થાના બન્ને વિકલ્પોમાંથી એક પસંદ કરવા માટે મારે કોને જાણકારી આપવી પડશે?
જવાબઃ ટેક્સ વ્યવસ્થાની રિઝીમ-1 અથવા તો રિઝીમ-2 પસંદ કરવા માટે તમારે કંપનીને જણાવવું પડશે.
7) સવાલઃ શું મને હવે કોઇ ટેક્સ છૂટ નહીં મળે?
જવાબઃ 5 લાખ રૂપિયા સુધીની આવક વાળા લોકોને કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં આપવો પડે. 5 લાખ 1 રૂપિયો હોય તો તમારે 2.5 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં દેવો પડે. ત્યાર બાદ 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની આવક પર 12,500 રૂપિયા અને બાકિની ટેક્સેબલ આવક પર નવા સ્લેબ અનુસાર ટેક્સ લાગશે.
બીજા શબ્દોમાં કહીએ તો 5,00,001થી 7.5 લાખ સુધીની આવક પર 10 ટકા અને બાકીના 15 ટકા ટેક્સ લાગશે. જો તમારી વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધુ છે તો રિઝીમ-1 અથવા કહીએ કે વિકલ્પ-1 હેઠળ આ વખતે તમારે રોકાણ કે બચત અથવા બીજા માધ્યમોમાં રોકાણ કરવાથી ટેક્સમાં બચતનો લાભ નહીં મળે.
કરદાતાઓ પાસે આ છે બે વિકલ્પ
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે આ વખતે કરદાતાઓ પાસે બે વિકલ્પ આપવામાં આવી રહ્યા છે. માની લો તમારી આવક 10 લાખ રૂપિયા વાર્ષિક છે. જેમાં પહેલા વિકલ્પ પસંદ કરી તમે 5 લાખ સુધીની આવકમાં ટેક્સ ફ્રી કરી બાકીની ટેક્સેબલ આવક પર સ્લેબ અનુસાર ચૂકવણી કરી શકો છો. આ હેઠળ તમને 5 લાખથી 7.5 લાખ સુધીની આવક પર 10 ટકા, 7.5 લાખથી 10 ટકા પર 15 ટકા, 10થી 12.5 લાખની આવક પર 20 ટકા, 15 લાખથી વધુ પર 30 ટકા ભરવો પડશે. જ્યારે બીજા વિકલ્પમાં તમે ટેક્સને જૂની વ્યવસ્થા અનુસાર પસંદ કરી શકો છો. આ હેઠળ તમારી આવક 5 લાખ રૂપિયાથી વધુ છે તો 2.5 લાખ સુધી આવક ટેક્સ ફ્રી રહેશે, પરંતુ તેના પરની આવક પર ટેક્સ બચાવવા માટે રોકાણ કરવું પડશે. જોકે, વિકલ્પ પસંદ કરવા માટે તમારે તમારી કંપનીને જણાવવું પડશે.