પાન કાર્ડને આધાર સાથે લિંક કરાવવાની અંતિમ તારીખ 31 માર્ચ 2020 છે. જો તમે આ ડેડલાઈન પહેલાં પાનને આધાર સાથે લિંક ન કરાવ્યું તો તમારું પાન કાર્ડ અમાન્ય થઈ જશે. ઈન્કમ ટેક્સનો લાભ લેવા પાનને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. પણ જો તમે ડેડલાઈન સુધી પાનને આધાર સાથે લિંક ન કરાવી શક્યા તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તમે 31 માર્ચ પછી પણ પાનને લિંક કરાવી શકો છો. બસ શરત એટલી જ છે કે, એટલા દિવસ તમારો પાન કાર્ડ અમાન્ય રહેશે.
પાનધારકો માટે સારાં સમાચાર
31 માર્ચ સુધી પાન આધાર સાથે લિંક ન કરાવી શકો છો પણ ચિંતા નથી
આટલું કરશો તો માન્ય રહેશે પાનકાર્ડ
જો તમે 10 એપ્રિલે પાન આધાર સાથે લિંક કરાવ્યું તો પણ તમારો પાનકાર્ડ લિંક થઈ જશે. પરંતુ 31 માર્ચ પછીથી 9 એપ્રિલ સુધી તમારો પાન કાર્ડ અમાન્ય રહેશે અને આ સમય દરમિયાન તમને ઈન્કમ ટેક્સનો ફાયદો પણ મળશે નહીં.
ઈન્કમ ટેક્સના નિયમમાં થયો ફેરફાર
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ એક નવી સૂચના જાહેર કરી છે. જેમાં 1962માં આવકવેરાના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આવકવેરા નિયમો 1962ના નિયમ 114AA પછી સબ સેક્શન 114AAA ઉમેરવામાં આવ્યુ છે. આ નવા નિયમ અંતર્ગત, જો કોઈ કરદાતાએ 31 માર્ચ 2020 પહેલા તેના પાનને આધાર સાથે લિંક કર્યું નથી તો તેની શું અસર થશે તે આ નિયમમાં દેખાય છે.
સીબીડીટીની નવી સૂચના મુજબ, જે લોકોને 1 જુલાઇ, 2017 સુધી લોકોને પાનકાર્ડ ફાળવવામાં આવ્યા છે. એ લોકોએ 31 માર્ચ 2020 સુધીમાં પાનને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. નહીં તો 31 માર્ચ પછી પાન અમાન્ય થઈ જશે. જોકે, તમે 31 માર્ચ પછી જ્યારે લિંક કરશો તે દિવસથી માન્ય રહેશે.