ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનમાં સૌથી છેલ્લા પાયદાન પર સનરાઇઝર્સ હૈદરાબાદ થે. ડેવિડ વોર્નરની કપ્તાનીમાં ત્રણે મૅચ હારી ગયા છે.
કેદાર જાદવ પર જીતની આશા
વિરાટ કોહલીએ કર્યો હતો ટીમ બહાર
ધોનીએ પણ બતાવ્યો બહારનો રસ્તો
આઇપીએલના ઇતિહાસમાં આવું પહેલી વાર થયુ છે કે સનરાઇઝર્સ હૈદરાબાદને પહેલી ત્રણેય મૅચમાં હારનો સામનો કરવો પડ્યો હોય. હવે હૈદરાબાદની નજર એક એવા ખેલાડી પર છે જેને વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની ટીમમાંથી કાઢી દીધો હતો અને તેને બેકાર પ્રદર્શન માટે ફેન્સની પણ ખરી ખોટી સાંભળવી પડી હતી.
આ ખેલાડીનું નામ કેદાર જાદવ છે. જાદવ આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો હિસ્સો રહી ચૂક્યો છે. જો કે બાદમાં તે ચેન્નઇ સુપરકિંગ્ઝમાં ધોની સાથે પણ સામેલ થયો હતો. જાધવે સંયુક્ત અરબ અમીરાતમાં રમયેલ ગઇ સિઝનમાં ખુબ ખરાબ પ્રદર્શન કર્યુ હતુ. જે બાદ ચેન્નઇ સુપરકિંગ્ઝે તેને રિલીઝ કરી દીધો હતો.
આઇપીએલ 2020માં જાધવે 8 મેચમાં 20.66ની ઓસતથી માત્ર 62 રન જ કર્યા હતા. તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 26 રન હતો અને સીઝનની 8 મેચમાં માત્ર 7 ચોગ્ગા જ લગાવી શક્યા હતા.
જાધવનું પ્રદર્શન
આ નવી સિઝન છે અને આશા કરીએ છીએ કે હૈદરાબાદની ટીમને પોતાના અનુભવનો થોડો ફાયદો પહોંચાડી શકશે. જ્યાં સુધી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રદર્શનની વાત છે તો કેદારે અત્યાર સુધી 87 મેચ રમી છે. જેમાં તેણે 22.82ની ઓસત અને 124.15ના સ્ટ્રાઇક રેટથી 1141 રન બનાવ્યા. 25 વાર નોટ આઉટ રહેલા જાધવે 99 ચોગ્ગા અને 38 છગ્ગા લગાવ્યા હતા. આઇપીએલમાં અત્યાર સુધી 28 કેચ પણ કરી ચૂક્યા છે. તે સિવાય સર્વશ્રેષ્ઠ સ્કોર 69 રહ્યો હતો.