કોરોના સંક્રમણનો કહેર ભારતમાં યથાવત છે ત્યારે લૉકડાઉન 5.0ને લઈને અનેક અટકળો ચાલી રહી છે. આ સમયે 31મી મેના રોજ લૉકડાઉન 4.0 પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે મોદી સરકાર ફરીથી બેઠક કરી રહી છે અને 11 સૌથી વધુ પ્રભાવિત શહેરોમાં લૉકડાઉન 5.0ની ગાઈડલાઈન તૈયાર કરી રહી છે. આ સમયે જે અટકળો આવી રહી છે તેના આધારે લૉકડાઉન 5.0 માટે આ ગાઈડલાઈન આવવાની શક્યતા સેવાઈ રહી છે.
1 જૂનથી લાગૂ પડશે લૉકડાઉન 5.0
મોદી સરકારે 11 સૌથી પ્રભાવિત શહેરો માટે કરી તૈયારી
11 શહેરોમાં લાગૂ પડી શકે છે આ ગાઈડલાઈન
લોકડાઉન 4.0 31 મેના રોજ સમાપ્ત થયા પછી સરકાર કોરોનાથી અસરગ્રસ્ત 11 શહેરો અને રેડ ઝોન સિવાય અન્ય વિસ્તારોમાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓ શરૂ કરવા માંગે છે. સરકારની વ્યૂહરચના આ 11 શહેરોમાં કોરોના ચેઇનને તોડવા માટે એક મોટી રણનીતિ બનાવવાની છે.
આ જગ્યાઓએ મળી શકે છે નિયમો સાથે રાહત
આ સિવાય અન્ય ક્ષેત્રોએ ધાર્મિક પ્રવૃત્તિ, ટ્રાફિક અને વેપારને લગતી મુક્તિ આપવી પડશે. રાજ્યો સાથેની બેઠકમાં ગૃહ પ્રધાન અને કેબિનેટ સચિવે પણ આ સ્થિતિ પર તમામ રાજ્યોનો અભિપ્રાય લીધો હતો. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે લોકડાઉનનો પાંચમો તબક્કો મુખ્યત્વે આ 11 શહેરો સુધી મર્યાદિત હોઈ શકે છે.
આ 11 શહેરોમાં લાગૂ પડશે કડક નિયમ
દેશના સૌથી વધુ અસરગ્રસ્ત 30 શહેરોમાંથી 11 શહેરોમાં વાયરસ સામે કાર્યવાહી કરવાની તૈયારી પર વધુ ધ્યાન આપવામાં આવ્યું. સંબંધિત શહેરો સાથે સંબંધિત રાજ્યના મુખ્ય સચિવો, મુખ્યમંત્રીઓ, ડીએમ અને નગર કમિશ્નરોના સૂચનની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ 13 શહેરોમાં મુંબઇ, ચેન્નાઈ, દિલ્હી, અમદાવાદ, થાણે, પુણે, હૈદરાબાદ, કોલકાતા, હાવડા, ઇન્દોર, જયપુર, જોધપુર, ચેંગલપટ્ટુ અને તિરુવેલ્લરનો સમાવેશ થાય છે.
આવું હોઈ શકે છે લૉકડાઉન 5.0
સૌથી વધારે પ્રભાવિત શહેરોના રેડઝોન સિવાયની તમામ જગ્યાએ આપી છૂટ
આ જગ્યાઓએ દરેક પ્રકારની ગતિવિધી થશે શરૂ
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ અને મોલ્સ કે સિનેમા હોલની નજીક રાજનીતિક મેળા પર રોક
સાર્વજનિક સ્થાન પર માસ્ક પહેરવું અને સોશ્યલ ડિસ્ટન્સિંગ અનિવાર્ય
સ્કૂલ ખોલવા અને મેટ્રો ટ્રેન ફરી ચાલુ કરવા માટે રાજ્યોને અપાશે છૂટ