દેશમાં દિવસેને દિવસે કોરોના સંકટ ઘેરું બની રહ્યું છે ત્યારે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા COVID-19ના હળવા, મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓ માટે હોમ આઈસોલેશન થવા અંગે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
દેશમાં કોરોનાના કેસમાં થયો વધારો
હોમ આઈસોલેશન માટે કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી
તા.10 મેના રોજ જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ કોરોનાનાં હળવા, મધ્યમ અથવા ગંભીર લક્ષણો ધરાવતાં દર્દીઓને કોવિડ કેર સેન્ટર, ડેડીકેટેડ કોવિડ આરોગ્ય કેન્દ્ર અથવા ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવા સૂચનો જારી કરવામાં આવ્યા હતા. હાલના સંજોગોને ધ્યાને લઈને એસિમ્પ્ટોમેટિક લક્ષણો ધરાવતા કેસો વધતા આ માર્ગદર્શિકામાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.
દર્દીઓના હોમ આઈસોલેશન માટેના ધોરણો :
સારવાર કરતા મેડીકલ ઓફિસર દ્વારા દર્દીને એસિમ્ટોમેટિક/ વેરી માઈલ્ડ સિમ્ટોમેટિક અને પ્રિ-સિમ્ટોમેટિક તરીકે દર્શાવવામાં આવ્યો હોય.
આવા કિસ્સામાં દર્દી પાસે ઘરે આઈઝોલેશન માટેની સુવિધા હોવી જોઈએ તથા તેના સંપર્કમાં આવતા લોકો માટે પણ આઈસોલેશન સુવિધા હોવી અનિવાર્ય છે.
ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા તેમજ HIV, ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર થેરેપીના દર્દીઓને હોમ આઇસોલેશનની મંજૂરી આપવામાં આવતી નથી.
૬૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધ દર્દીઓ અને હાયપરટેન્શન, ડાયાબિટીઝ, હ્રદયરોગ, ક્રોનિક ફેફસાં, યકૃત /કિડની તેમજ સેરેબ્રો-વેસ્ક્યુલર જેવાં રોગની ધરાવતા દર્દીઓને સારવાર કરતાં તબીબી અધિકારી દ્વારા યોગ્ય મૂલ્યાંકન કર્યા પછી જ હોમ આઇસોલેશન માટેની મંજૂરી આપવામાં આવશે.
દર્દીની સંભાળ રાખવા માટે એક વ્યક્તિ ૨૪ કલાક હાજર હોવી જોઈએ તેમજ આઇસોલેશનના સમયગાળા દરમિયાન દર્દી અને હોસ્પિટલ વચ્ચે યોગ્ય કમ્યુનિકેશન થાય તે અનિવાર્ય છે.
દર્દીના સંભાળ રાખનાર તેમજ દર્દીના નજીકના બધા સંપર્કોએ અને સારવાર કરતાં ડૉક્ટર્સ દ્વારા સૂચવ્યા મુજબ હાઇડ્રોક્સિક્લોરોક્વિન પ્રોફીલેક્સીસ લેવી જોઈએ.
મોબાઈલમાં આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો. આ એપ્લિકેશન https://www.mygov.in/aarogya-setu- app પર ઉપલબ્ધ છે જે એપ બ્લૂટૂથ અને વાઇફાઈના માધ્યમથી સતત કામ કરે છે.
કોરોનાગ્રસ્ત દર્દી તેના આરોગ્યની જાતે દેખરેખ રાખવા સંમત થઈ હોય અને નિયમિતપણે તેની સ્વાસ્થ્યની સ્થિતિની જાણકારી જિલ્લા સર્વેલન્સ અધિકારીને જણાવશે જે દર્દીને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડશે.
દર્દી સેલ્ફ આઇસોલેશન (જોડાણ ૧) માં દર્શાવેલ બાંહેધરી પત્ર ભરશે અને હોમ ક્વારન્ટઈન માર્ગદર્શિકાઓનું પાલન કરશે. સારવાર આપતા ડોક્ટરને હોમ આઇસોલેશન માટે મંજૂરી આપતા પહેલા તમામ બાબતો અંગે સંતોષ થવો હોવો જોઈએ.
મેડીકલ અટેન્શન :
દર્દીમાં જો નીચે દર્શાવેલ લક્ષણો જણાય તો તાત્કાલિક તેને મેડીકલ સારવાર આપવાની રહેશે.
કોરોનાગ્રસ્ત દર્દીને શ્વાસ લેવામાં તફલીફ,
શરીરમાં ઑક્સીજનનુ સ્તર ૯૫%થી ઓછું થાય,
છાતીમાં દુખાવો,
માનસિક મુંઝવણ અથવા સજાગતાનો અભાવ,
અસ્પષ્ટ અવાજ,
કોઈપણ અંગ અથવા ચહેરામાં નબળાઇ અથવા નિષ્ક્રિયતા,
હોઠ/ચહેરાની વાદળી રંગ જણાય.
રાજ્ય અને જીલ્લા આરોગ્ય તંત્રની ભૂમિકા :
હોમ આઈસોલેશન માટેની નવી માર્ગદર્શિકા અનુસાર રાજ્ય અને જિલ્લા આરોગ્ય અધિકારીઓ આવા કેસની દેખરેખ રાખશે.
હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓની તબિયતની સ્થિતિનું કોલ સેન્ટર દૈનિક ધોરણે ફોલોઅપકરશે તેમજ ફીલ્ડ સ્ટાફ / સર્વેલન્સ ટીમો વ્યક્તિગત રીતે દર્દીની પરિસ્થિતિની જાણકારી મેળવશે. ફિલ્ડ સ્ટાફ/કોલ સેન્ટર દ્વારા દર્દીઓનો કલીનીકલ(શરીરનું તાપમાન, પલ્સ રેટ અને ઓક્સિજન સેચ્યુરેશન) રેકોર્ડ રાખવામાં આવશે. સાથે જ દર્દીના કેર ટેકરને પણ ફિલ્ડ સ્ટાફ દ્વારા સૂચનાઓ આપવામાં આવશે જેનું કડકપણે પાલન કરવાનું રહશે.
હોમ આઇસોલેશન હેઠળના દર્દીઓ વિશેની વિગતો પણ કોવિડ-૧૯ પોર્ટલ અને સુવિધા એપ્લિકેશન પર અપડેટ કરવાની રહેશે.
નિયમોના ઉલ્લંઘન અથવા અથવા દર્દીને સ્થળાંતરિત કરવાના કિસ્સામાં પદ્ધતિની નિયત કરવાની રહેશે અને તેનો અમલ કરવો પડશે.
ફિલ્ડના સ્ટાફ દ્વારા કુટુંબના બધા સભ્યો અને નજીકના સંપર્કોનું પ્રોટોકોલ મુજબ નિરીક્ષણ અને પરીક્ષણ કરવુ પડશે. આ ડિસ્ચાર્જ માર્ગદર્શિકાને ફીલ્ડ ટીમ દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ આપવાની સાથે તેનું સખત રીતે પાલન કરવાનું રહેશે.
હોમ આઇસોલેશનનો સમયગાળો :
ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સુધારેલ હોમ આઈસોલેશન માર્ગદર્શિકા પ્રમાણે હોમ આઇસોલેશન હેઠળ રહેલા દર્દીને લક્ષણોના શરૂઆતના 10 દિવસમાં જો 3 દિવસ સુધી તાવ ન આવે તો તેને ડિસ્ચાર્જ કરવામાં આવશે. ત્યારબાદ દર્દીને સલાહ આપવામાં આવશે કે હોમ આઇશોલેશન થઈને વધુ 7 દિવસ સુધી તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવું. હોમ આઇસોલેશનનો સમય સમાપ્ત થયા પછી પરીક્ષણની જરૂર નથી.
કોરોનાનાં શંક્સ્પદ લક્ષણો ધરાવતાં હોય અથવા કોરોનાગ્રસ્ત હોય તેવા દર્દીઓએ નિયત સમયગાળા માટે સેલ્ફ આઇસોલેશન જાળવવા માટે બાંહેધરી આપવાની રહેશે.
દર્દી માટેની સૂચનાઓ :
હોમ આઈસોલેશન દરમિયાન દર્દીએ હંમેશાં ટ્રિપલ લેયર મેડિકલ માસ્કનો ઉપયોગ કરવાનો રહેશે.
જો માસ્ક ભીના થઈ જાય અથવા મેલા દેખાય કે 8 કલાકના ઉપયોગ બાદ યોગ્ય નિકાલ કરી દેવો જોઈએ.
માસ્કને 1% સોડિયમ હાઇપો-ક્લોરાઇટથી ડીસઇન્ફેકટ કર્યા પછી જ તેનો નિકાલ કરવો.
દર્દીએ નક્કી કરેલા રૂમમાં ઘરના અન્ય લોકોથી દૂર રહેવું જોઈએ, ખાસ કરીને વડીલો અને હાયપરટેન્શન, રેનલ ડિસીઝ જેવા સહ-રોગની સ્થિતિ ધરાવતા લોકોથી દૂર રહેવું જોઈએ.
દર્દીએ વધુમાં પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ અને પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ.
વારંવાર સાબુ અને પાણીથી 40 સેકન્ડ્સ સુધી હાથ ધોતાં રહેવું અથવા આલ્કોહોલવાળા સેનેટાઈઝરથી સાફ કરતાં રહેવું જોઈએ.
પોતાની અંગત વસ્તુઓ અન્ય લોકો સાથે શેર કરવી જોઈએ નહિ. ટેબ્લેટ્સ, ડોર નોબ્સ, હેન્ડલ્સ, વગેરે કે જેને વારંવાર સ્પર્શ કરવામાં આવે છે તેને 1% હાયપોક્લોરાઇટ સોલ્યુશન વાપરીને સાફ કરવા જરૂરી છે.
દર્દીએ ડૉક્ટર્સની સૂચનાઓ અને સલાહનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને નિયમિત રીતે દવાઓ લેવી જોઈએ.