સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના દર્દીઓ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનના આધારે જો તમને થોડા પણ લક્ષણો દેખાય તો તમારે તમારા ઘરમાં જ આઈસોલેટ રહેવું પડશે. હાલ સુધી નિયમ એવો હતો કે દર્દીને તેમની હેલ્થ અનુસાર કોવિડ કેર સેન્ટર, ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર કે ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં એડમિટ કરાશે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કરી ગાઈડલાઈન જાહેર
કોરોનાના દર્દીઓને લઈને જાહેર થઈ નવી ગાઈડલાઈન
હવે આ નિયમો અનુસાર દર્દી ઘરે પણ થઈ શકશે આઈસોલેટ
હોમ આઈસોલેશનની છે આ 6 શરતો
1. ખૂબ જ માઈલ્ડ કેટેગરીમાં હોવાની સાથે દર્દીને ઘરમાં જ સેલ્ફ આઈસોલેશન અને પરિવારના સભ્યોને ક્વૉરન્ટાઈન કરવાની સુવિધા હોવી જોઈએ.
2. દર્દીને 24 કલાકની દેખરેખ માટે કોઈ વ્યક્તિ હોવો જોઈએ. દર્દી જ્યાં સુધી આઈસોલેશનમાં રહે ત્યાં સુધી તેની દેખરેખ કરનારા અને હોસ્પિટલની વચ્ચે સંપર્કનો સેતુ હોવો જોઈએ.
4. આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાનું રહેશે. તેને બ્લૂટ્રૂથ કે વાઈફાઈની મદદથી દરેક સમયે એક્ટિવ રાખવું જરૂરી રહેશે.
5. દર્દીએ તેના આરોગ્ય વિશે નિયમિત માહિતી જિલ્લા સર્વેલન્સ અધિકારીને આપવી જરૂરી છે.
6. દર્દીએ માર્ગદર્શિકાનું પાલન કરવાની બાંહેધરી આપવી પડશે.
ગંભીર લક્ષણ દેખાય તો તરત જ કરવો સંપર્ક
દર્દી અથવા કાળજી લેનારને તેમના આરોગ્યની કાળજી લેવી પડશે. જો શ્વાસ લેવામાં તકલીફ થાય છે, સતત પીડા થાય છે અથવા છાતીનું દબાણ આવે છે, માનસિક દબાણ આવે છે અથવા ઉભા થવામાં મુશ્કેલી આવે છે, ચહેરા અથવા હોઠ પર નિખાર આવે છે અથવા ડોક્ટરએ તમને જે કહ્યું છે તે ગંભીર લક્ષણો છે, તો તરત જ કહેવું જોઈએ.
હોમ આઈલોલેશન ક્યારે ખતમ કરી શકાશે?
જો લક્ષણ દેખાતા બંધ થઈ જાય તો ટેસ્ટ બાદ મેડિકલ ઓફિસરે સંક્રમણ ખતમ થઈ ગયાનું સર્ટિફિકેટ આપવાનું રહેશે. આ પછી જ દર્દી આઈસોલેશન ખતમ કરી શકશે.