કેન્દ્રીય વિદ્યાલયોમાં એડમિશન માટે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. આગામી સત્ર 2020-21માં એડમિશન માટે ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં OBC વિદ્યાર્થીઓ માટે 27% બેઠક અનામત રખાશે.
કેન્દ્રીય વિદ્યાલયોમાં એડમિશન માટે નવી ગાઇડલાઇન
સત્ર 2020-21માં એડમિશન માટે ગાઇડલાઇન જાહેર
OBC વિદ્યાર્થીઓ માટે 27% બેઠક અનામત રખાશે
આ સાથે જ કેન્દ્રીય વિદ્યાલયમાં ધો-1માં ઓનલાઇન ડ્રો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ધો-2થી 8માં પ્રાથમિકતાના આધારે પ્રવેશ અપાશે. ધો-9માં એડમિશન માટે પ્રવેશ પરીક્ષા આપવી પડશે. કેન્દ્રીય વિદ્યાલયની સત્તાવાર વેબસાઇટ kvsangathan.nic.in છે, જ્યાંથી કોઇપણ વ્યક્તિ આ નોટિફિકેશન વિશે જાણકારી મેળવી શકશે.
પ્રથમ વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઇન ડ્રો સિસ્ટમ દ્વારા મળશે પ્રવેશ
આપને જણાવી દઇએ કે, કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશની ગાઇડલાઇન પ્રમાણે પ્રથમ વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઇન ડ્રો સિસ્ટમ દ્વારા પ્રવેશ મળશે. ધોરણે બીજાથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓને પ્રાથમિકતાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. નવમા ધોરણમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા આપવી ફરજીયાત રહેશે.
વિદ્યાર્થીની ન્યુનતમ વય 5 વર્ષ અને મહત્તમ 7 વર્ષ હોવી જોઈએ
તો વર્ગ અને બારમા ધોરણના વિદ્યાર્થીઓનો પ્રવેશ વર્ગની બેઠકોની ઉપલબ્ધતાના આધારે રહેશે. જ્યારે કે.વી.એસ. દસમા ધોરણમાં પ્રાપ્ત થયેલ નંબરોના આધારે ધોરણ 11 માં વિદ્યાર્થીઓની નોંધણી કરશે. કે.વી.એસ.એ પ્રવેશ માટેની વયમર્યાદા (લઘુત્તમ અને મહત્તમ) પણ નક્કી કરી છે. નવી માર્ગદર્શિકા મુજબ, પ્રથમ વર્ગમાં અરજી કરવા માટે 1 એપ્રિલ 2020 ના રોજ વિદ્યાર્થીની ન્યુનતમ વય 5 વર્ષ અને મહત્તમ 7 વર્ષ હોવી જોઈએ.