કોરોનાની બીજી લહેર પતે અને ત્રીજી લહેરને આવતા અટકાવી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે.
કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઇન
10 મીટર દૂર સુધી સંક્રમણનો ભય
વેન્ટિલેશન વધવાથી કોરોના ફેલાવવાનો ખતરો ઓછો
કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઇન
કોરોનાની બીજી લહેર પતે અને ત્રીજી લહેરને આવતા અટકાવી શકાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં કહ્યું છે કે કોરોનાનો દર્દી પોતાનાથી 10 મીટર સુધીના અંતરમાં સંક્રમણ ફેલાવી શકે છે. આ ગાઈડલાઇનમાં રૂમમાં, ઓફિસોમાં અને બીજી ઘણી જગ્યા પર વેન્ટિલેશન વધારવાની સલાહ આપવામાં આવી છે.
10 મીટર દૂર સુધી સંક્રમણનો ભય
કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારના જણાવ્યા અનુસાર, કોઈ પણ કોરોના સંક્રમિત દર્દીની લાળ, નેજલ ડિસ્ચાર્જ, ડ્રૉપલેટ અને એયરોસોલના રૂપે કોરોનાનું સંક્રમણ ફેલાય છે તે મુખ્ય કારણ છે. ડ્રૉપલેટ જ્યાં 2 મીટર સુધી જઈ એક જગ્યા પર બેસી જાય છે અને એયરોસોલ 10 મીટર સુધી હવામાં ફેલાઈ શકે છે. એટલે જ કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સલાહ આપવામાં આવી છે. સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે માસ્ક, સેનેટાઈઝર, સોશ્યલ ડિસ્ટનસિંગની સાથે સાથે વેન્ટિલેશન જેવી સામાન્ય બાબતોનું પણ ધ્યાન રાખીને જ આપણે મહામારીમાંથી બહાર આવીશું. ગાઈડલાઇનમાં કહ્યું છે કે શહેર અને ગામડાના ઘરમાં, ઑફિસ અને બીજા જાહેર સ્થળો પર ઝડપથી વેન્ટિલેશન કરવું જરૂરી છે. ઘરમાં, ઑફિસ અને સેન્ટ્રલાઇઝ્ડ બિલ્ડીંગોમાં પંખા લગાવી, દરવાજા અને બારીઓ ખોલી, હવાની અવર જવર વધારવાની વાત કરી છે.
વેન્ટિલેશન વધવાથી કોરોના ફેલાવવાનો ખતરો ઓછો
વૈજ્ઞાનિક સલાહકારના જણાવ્યા અનુસાર કોઈ પણ કોરોના દર્દીના બોલવા સમયે, હસવા સમયે, ઉધરસ સમયે જે ડ્રૉપલેટ કે એયરોસૉલ નીકળે છે, તે જ વાયરસ ટ્રાન્સમિશનનું મુખ્ય કારણ બને છે. જે રીતે કોઈ પણ જગ્યા પર હવાની અવર જવર વધવાથી ત્યાંની દુર્ગંધ જતી રહે છે તે જ રીતે કોઈ પણ જગ્યાએ વેન્ટિલેશન વધવાથી કોરોના ફેલાવવાનો ખતરો ઓછો થઈ જાય છે.