AIIMSના કહ્યા મુજબ એવી વાતના કોઈ પણ પુરાવા નથી કે જેમાં ત્રીજી લહેરથી માત્ર બાળકોને જ વધુ સંક્રમણ થવાનું હોય
5 વર્ષથી ઓછા વયના બાળકોએ હવે માસ્ક પહેરવાની જરૂર નથી
6 વર્ષથી લઈ 11 વર્ષ સુધીના બાળકો માટે પણ ગાઈડલાઇન બહાર પાડવામાં આવી
18 વર્ષથી નીચેના બાળકોને રેમડેસીવીર પણ નહીં
5 વર્ષથી ઓછા વયના બાળકોએ હવે માસ્ક પહેરવાની જરૂર નથી
ભારતમાં એક બાજુ કોરોનાની બીજી લહેર પૂરું થવાની તૈયારીમાં છે અને બીજી બાજુ ત્રીજી લહેરે આવવાના એંધાણ પણ છે. એવામાં ભારત સરકારે નવી ગાઈલાઇડ બહાર પાડી છે કે 5 વર્ષથી ઓછા વયના બાળકોએ હવે માસ્ક પહેરવાની જરૂર નથી. એવી અટકળો ચાલી રહી છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની સંભાવના છે. પણ AIIMSના કહ્યા મુજબ એવી વાતના કોઈ પણ પુરાવા નથી કે જેમાં ત્રીજી લહેરથી માત્ર બાળકોને જ વધુ સંક્રમણ થવાનું હોય. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયમાં આવતા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ વિભાગ દ્વારા આ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે.
6 વર્ષથી લઈ 11 વર્ષ સુધીના બાળકો માટે પણ ગાઈડલાઇન બહાર પાડવામાં આવી
આ ગાઈડલાઇન મુજબ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને માસ્ક પહેરવાની જરૂર નથી. આ ઉપરાંત 6 વર્ષથી લઈ 11 વર્ષ સુધીના બાળકો માટે પણ ગાઈડલાઇન બહાર પાડવામાં આવી. આ ગાઈડલાઈન મુજબ આ ઉંમરના બાળકોએ પોતાના માતા પિતાના માર્ગદર્શન હેઠળ અને તેમની દેખરેખમાં માસ્ક પહેરવું જોઈએ. આ પેહલા WHO એ પોતાની નવી ગાઈડલાઇનમાં 12 વર્ષથી ઉપરના તમામ બાળકોને માસ્ક ફરજિયાતપણે પહેરવા માટેના નિર્દેશ આપ્યા હતા. WHO એ પણ કહ્યું કે 5 વર્ષથી ઓછી ઉંમર વાળા બધા જ બાળકોએ માસ્ક પહેરવું નહીં.
18 વર્ષથી નીચેના બાળકોને રેમડેસીવીર પણ નહીં
આ ઉપરાંત સિટી સ્કેનનો ઉપયોગ પણ યોગ્ય સમયે કરવાની સલાહ આપવામાં આવી છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યુ છે કે ડોક્ટરો બાળકોના સિટી સ્કેન કરતા સમયે બહું જ સંવેદનશીલતા વર્તવી જોઈએ. ત્યારે રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને કહેવામાં આવ્યું છે કે એફિકેસી ડેટાની અછતના કારણે બાળકોમાં આનો ઉપયોગ નહીં કરવો જોઈએ.