ગ્રેજ્યુટી નિયમમાં જલ્દી જ મોટો બદલાવ આવી શકે છે. સામાજિક સુરક્ષા સંહિતા 2019ના ચેપ્ટર 5ના આધારે કર્મચારીઓને ગ્રેજ્યુટી ત્યારે જ મળશે જ્યારે તેઓ એક જ સંસ્થામાં સતત 5 વર્ષ સુધી નોકરી કર્યા બાદ તેને છોડશે. કેટલાક એવા કિસ્સા પણ છે જેમાં ગ્રેજ્યુટી મેળવવાને લઈને ખાસ છૂટ આપવામાં આવે છે.
ગ્રેજ્યુટી નિયમમાં આવી શકે છે મોટો બદલાવ
ગ્રેજ્યુટી માટે એક જ સંસ્થામાં 5 વર્ષની નોકરી જરૂરી
આ કેસમાં કર્મચારીને ગ્રેજ્યુઈટી માટે મળી શકે છે છૂટ
ગ્રેજ્યુટી માટેનું આ બિલ લોકસભામાં રજૂ થઈ ચૂક્યું છે પરંતુ આ બિલ ત્યારે જ પાસ થશે જ્યારે સંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભામાં તે પાસ થાય અને સાથે જ તેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળે.
આ સ્થિતિમાં પેન્શનના આધારે નક્કી થાય છે ગ્રેજ્યુઈટી
ગ્રેજ્યુટી મેળવવાની મુખ્ય શરતોના આધારે કર્મચારી તેને યોગ્ય ત્યારે છે જ્યારે તે કંપનીમાં ઓછામાં ઓછી 5 વર્ષ સુધી સેવા આપે છે. રિટાયરમેન્ટ, રાજીનામું કે પછી કોઈ અકસ્માતમાં મોત થાય કે વિકલાંગ થઈ જવાય તો અથવા તો કોન્ટ્રાક્ટની સમયસીમા ખતમ થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી આ પ્રકારની અન્ય સ્થિતિના આધારે કર્મચારીને પેન્શનના આધારે ગ્રેજ્યુટી મળે છે.
કઈ શરત પર નહીં રહે 5 વર્ષની જરૂરિયાત
સામાજિક સુરક્ષા સંહિતામાં કહેવાયું છે કે 5 વર્ષ સુધી સતત સેવા આપવું એ સ્થિતિમાં શક્ય નથી જ્યારે કર્મચારીનું મૃત્યુ નીપજે કે પછી તે શારીરિક રીતે સક્ષમ ન હોવાના કારણે નોકરી છોડી દે. આ સમયે વ્યક્તિની ફિક્સ્ડ ટર્મ એમ્પલોયમેન્ટને પૂરું કરવું અને સાથે જ કેન્દ્ર સરકારની કોઈ નોટિફિકેશનની સ્થિતિમાં પણ ગ્રેજ્યુટી મળે છે. કર્મચારીનું મૃત્યુ થાય તો તે સ્થિતિમાં ગ્રેજ્યુટી તેના નોમિનીને મળે છે. જો કર્મચારીએ કોઈનું નોમિનેશન નથી કર્યું તો તે રકમ તેના વારસદારને મળે છે.
આ રીતે મળશે ગ્રેજ્યુટી
સામાજિક સુરક્ષા સંવિધાનમાં કહેવાયું છે કે કર્મચારીના દરેક પૂર્ણ વર્ષની સર્વિસ પર ગ્રેજ્યુટી 15 દિવસની સેલેરી પર નક્કી થાય છે. દર વર્ષે આખું વર્ષ કે 6 મહિનાથી વધારે સમય સુધી કર્મચારીને ગ્રેજ્યુટી 15 દિવસની સેલેરીના આધારે કે કેન્દ્ર સરકારના કોઈ નોટિફિકેશનમાં નક્કી કરવામાં આવેલા દિવસોના આધારે મળશે.