ભારતનો UK પર વળતો પ્રહાર: હવે ભારત આવતા બ્રિટનના નાગરિકો પર લાગુ થશે કડક નિયમો, વેક્સિન લીધી હોવા છતાં કોરોના ટેસ્ટ અને કવોરન્ટીન થવું જરૂરી
બ્રિટિશ નાગરીકો માટે ભારત સરકારના નવા નિયમ
વેક્સિન લીધી હશે તો પણ ભારતમાં આવી ટેસ્ટ કરાવો પડશે
ટેસ્ટ કરાવ્યા પછી પણ ફરજિયાત ક્વોરન્ટિન રહેવું પડશે
India has decided to impose reciprocity on UK nationals arriving in India from the UK. New regulations will come into effect from October 4, and will be applicable to all UK nationals arriving from the UK: Sources#COVID19
બ્રિટેનમાં યાત્રા કરવાને તેમણે કોરોનાને લઈને જુદા જુદા નિયમો બનાવ્યા છે. જેમા શરૂઆતમાં તેમણે કોવિશીલ્ડ વેક્સિનને મંજૂરી પણ નહોતી આપી. પરંતુ બાદમાં ભારતના દબાણમાં આવીને તેમણે વેક્સિનને મંજૂરી આપી હતી. ત્યારે હવે ભારત દ્વારા પણ યુકેના નાગરીકો માટે કડક નીયમો જાહેર કરવામાં આવ્યા છે.
4 ઓક્ટોબરથી નિયમ લાગૂ
નવા નિયમો પ્રમાણે બ્રિટિશ નાગરીકોએ વેક્સિન લીધી હશે તો પણ તેમણે કોરોના ટેસ્ટ કરાવા પડશે. સાથેજ તેમણે ભારતમાં ક્વોરન્ટિન પણ રહેવું પડશે આપને જણાવી દઈએ કે આ નિયમો 4 ઓક્ટોબરથી યૂકેના દરેક નાગરીકો પર લાગૂ કરવામાં આવ્યો છે.
એરપોર્ટ પર ફરજિયાત ટેસ્ટ કરાવો પડશે
બ્રિટિશ નાગરીકોએ વેક્સિન લીધી હશે તો પણ તેમને RTPCR ટેસ્ટ કરાવીને જવું પડશે. સાથેજ તેમણે ભારતમાં પણ ટેસ્ટ કરાવવો પડશે. નવા નિયમો પ્રમાણે બ્રિટેન નાગરીકોએ યાત્રા કરતા પહેલા 72 કલાકની અંદર કોરોના ટેસ્ટ કરાવો પડશે. સાથેજ એરપોર્ટ પર પણ તેમને ટેસ્ટ કરાવો પડશે. ભારતમાં આવ્યા પછી 8માં દિવસે પણ તેમણે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. સાથેજ 10 દિવસ તેમણે હોમ ક્વોરન્ટિન પણ રહેવું પડશે.