204.91 હેક્ટર જમીનમાં ફેલાયેલા સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે બલ્કી તેનું 60 ટકા જેટલું કામ તો પૂર્ણ પણ થઈ ગયું છે.
સાબરમતી રિવરફ્રન્ટ પર વોક-વે લઇ રહ્યો છે આકાર
રિવરફ્રન્ટ પર બની રહ્યો છે પશ્ચિમથી પૂર્વને જોડતો વોક-વે
અંદાજિત 74 કરોડના ખર્ચે બનશે વોક-વેનું 60 ટકા કામ પૂર્ણ
રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બાજુએ ભાગને જોડતો એક પ્રોજેક્ટ છે જેમાં નદી કાંઠેના કિનારાનો વિકાસ કરીને અવનવા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે, સાબરમતી નદીના બંને કિનારાઓનું પુરાન કરીને નદીના બંને કાંઠે 11.25 કિમીનો રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે શહેરીજનો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે.
અમદાવાદીઓ માટે સારા સમાચાર
સમયની સાથે રિવરફ્રન્ટપર અવનવા પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે ત્યારે અમદાવાદીઓ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. 204.91 હેક્ટર જમીનમાં ફેલાયેલા સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે બલ્કી તેનું 60 ટકા જેટલું કામ તો પૂર્ણ પણ થઈ ગયું છે.
અમદાવાદના લોકોને મળશે નવો વોક-વે
અમદાવાદ રિવરફ્રન્ટ પર શહેરીજનો માટે નવો વોક-વે બની રહ્યો છે.જેનું 60 ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર 74 કરોડ રૂપિયાના ખર્ચે વોક-વે તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ ફૂટ ઓવરબ્રિજ પશ્ચિમથી પૂર્વ વિસ્તારને જોડે વોક-વે બની રહેનાર છે જેની લંબાઈ આશરે 300 મીટર હશે અને 2100 મેટ્રીક ટન વજન ધરવાર તો વોક-વે હશે. ગત વર્ષ જ્યારે શહેરમાં લોકડાઉન નાખવામાં આવ્યું હતું ત્યારથી આ વોક-વે તૈયાર થઈ રહ્યો છે, એટલે શહેરીજનો જ્યારે લોકડાઉનમાં ઘરમાં હતા ત્યારે વોક-વેનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું. હાલ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ છે તેમજ કોરોના કહેર છે પરતું જ્યારે પણ મૂક્તી મળશે ત્યારે શહેરી જનો માટે આ વોક-વે ખુલ્લો મુકવામાં આવશે.
રિવરફ્રન્ટ પર બની રહ્યો છે પશ્ચિમથી પૂર્વને જોડતો બ્રિજ
હાલ રિવરફ્રન્ટ પર અનેકવિધ પ્રોજેક્ટો કાર્યરત છે જેમાંથી કેટલાક તો નિર્માણ પામી ચુક્યા છે. રિવરફ્રન્ટના પ્રોજેક્ટનો હેતું શહેરીજનો માટે સુખાકારી તેમજ રિવરફ્રન્ટ થકી તેમાથી આવક સર્જન કરવાનો હેતું છે હાલ શહેરમાં બગીચાઓ, નદીકાંઠાનો વિકાસ, બજારો, સાંસ્કૃતિક અને મનોરંજનને લગતી અનેક સુવિધાઓ આપવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં વધુ એક સુવિધાનો વધારો થવા જઈ રહ્યો છે.