બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરનારાઓ માટે કામના સમાચાર છે. જો તમે બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ અથવા ટર્મ ડિપોઝિટ કરવા જઇ રહ્યાં છો અથવા પહેલાંથી જ કરી ચૂક્યા છો તો આ તારીખ ખાસ નોંધી લેજો.
બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરનારાઓ માટે જરૂરી સમાચાર
આ તારીખ ચૂકી તો થશે મોટું નુકસાન
એફડી કરાવતા લોકો ખાસ ધ્યાન આપજો
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હાલમાં ફિક્સ્ડ ડિપોઝિટ મેચ્યોર થયા પછી બેન્કમાં અનક્લેમ્ડ રકમ પર વ્યાજના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ જો તમે મેચ્યોરિટી પછી પૈસા ક્લેમ નથી કરતા તો તમને તેના પર ઓછું વ્યાજ મળશે. આ વ્યાજ બચત ખાતા પર મળતા વ્યાજ સમાન હશે.
તમને જણાવી દઈએ કે, ફિક્સ્ડ ડિપોઝિટ જેને ટર્મ ડિપોઝિટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ફિક્સ્ડ ઇન્કમ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે લોક-ઇન પિરિયડ દરમિયાન ખાતરીપૂર્વક રિટર્ન આપે છે. આ સૌથી લોકપ્રિય બચત યોજનાઓમાંની એક છે કારણ કે રિટર્ન પૂર્વનિર્ધારિત અને ચોક્કસ સમયગાળા માટે નિશ્ચિત છે.
આ તારીખ યાદ રાખો
જો ફિક્સ્ડ ડિપોઝિટ મેચ્યોર થાય છે અને રકમ ચૂકવવામાં આવતી નથી અથવા દાવો કરવામાં આવતો નથી તો વ્યાજ દર બચત ખાતા મુજબ અથવા મેચ્યોર FD પર નિશ્ચિત વ્યાજ દર, જે પણ ઓછું હોય તે રહશે. જેથી ડિપોઝિટર્સે ડ્યૂ ડેટ નોટ કરવીજોઈએ અને વ્યાજનું નુકસાનટાળવા માટે નિયત તારીખે રસીદ રીન્યુ કરાવવી જોઈએ. નવા નિયમો તમામ કોમર્શિયલ બેંકો, નાની ફાઇનાન્સ બેંકો, સ્થાનિક વિસ્તારની બેંકો અને સહકારી બેંકોમાં લાગુ પડે છે.
આ હતો જૂનો નિયમ
અગાઉ જો તમે એફડી મેચ્યોર થયા પછી પૈસા ઉપાડ્યા નહોતા ઉપાડતા અથવા દાવો નહોતા કરતા તો બેંક તમારી FD એ જ સમયગાળા માટે લંબાવી દેતી હતી, જેના માટે તમે અગાઉ ફિક્સ્ડ ડિપોઝિટ કરી હતી. પણ હવે એવું નથી. હવે જો તમે મેચ્યોરિટી પર પૈસા ન ઉપાડો તો તમને ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ નહીં મળે. તેથી મેચ્યોરિટી પછી તરત જ પૈસા ઉપાડવા અથવા FD રિન્યૂ કરવી જરૂરી છે.
જોકે ફાઈનાન્શિયલ પ્લાનર્સનું કહેવું છે કે FD પસંદ કરતા પહેલાં વ્યાજદર પર ધ્યાન આપવું જરૂરી છે. કેટલીક નાની ફાઇનાન્સ બેંકો (SBFs) ટોપ લેંડર્સની તુલનામાં આકર્ષક વ્યાજ દર ઓફર કરી રહી છે. વ્યાજ દરમાં કાપ હોવા છતાં કેટલીક નાની ફાઇનાન્સ બેંકો 6.75 ટકાથી 7 ટકા વચ્ચે સૌથી વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે.