દેશના અલગ અલગ ભાગોમાં ખેડૂતો રાજધાની દિલ્હી પાસે એકઠા થઇને નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ આંદોલન કરી રહ્યા છે, પરંતુ મધ્યપ્રદેશમાં આ કાયદો લાગૂ પણ થઇ ચૂક્યો છે અને ખેડૂતોને આનો ફાયદો પણ મળી રહ્યો છે. આ કાયદાથી થયેલા ફાયદાથી ખેડૂતો ગદગદ થઇ ગયા છે.
દેશનો કદાચ પહેલો કિસ્સો
નવા કૃષિ કાયદાથી મધ્યપ્રદેશના ખેડૂતોને ફાયદો મળ્યા
નવા કૃષિ કાયદાઓ વિરૂદ્ધ આંદોલન ચાલી રહ્યું છે
મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં પીડિત ખેડૂતોને કૉન્ટ્રાક્ટ ફાર્મિંગ અધિનિયમ હેઠળ ન માત્ર 24 કલાકની અંદર રાહત મળી, પરંતુ પાક ખરીદવાનો કૉન્ટ્રાક્ટ કરનારી કંપનીને અનાજ ખરીદવા માટે બાધ્ય થવું પડ્યું.
દેશનો કદાચ પહેલો કિસ્સો
સમગ્ર દેશમાં આ કદાચ પહેલો કિસ્સા છે જ્યાં ખેડૂતોને નવા કાયદાનો ફાયદો મળ્યો છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરીને ખેડૂતોને આના માટે શુભેચ્છા આપી છે.
ભાવ વધ્યા તો કંપનીએ બંધ કરી દીધી ખરીદી
દિલ્હીની કંપની ફૉર્ચ્યૂન રાઇસ લિ.એ જૂન 2020માં હોશંગાબાદ જિલ્લાના પિપરિયા તહસીલ સ્થિત ભૌખેડી અને અન્ય ગામડાઓના ખેડૂતોની બજારથી ઉંચા ભાવ પર અનાજ ખરીદવાનો લેખિત કરાર કર્યો હતો. કંપની શરૂઆતમાં તો કોન્ટ્રાક્ટ અનુસાર અનાજ ખરીદતી રહી, પરંતુ ભાવ 3000 રૂપિયા પ્રતિ ક્વિંટલ પહોંચ્યો તો 9 ડિસેમ્બરથી કંપનીના કર્મચારીઓએ ખરીદી બંધ કરી દીધી. કર્મચારીઓએ પોતાના ફોન પણ બંધ કરી દીધા.
10 ડિસેમ્બરે ભૌખેડીના ખેડૂતોને પુષ્પરાજ પટેલ અને બ્રજેશ પટેલે પિપરિયાના SDMને આની ફરિયાદ કરી. ફરિયાદ પર જિલ્લા તંત્રએ રાજધાની ભોપાલમાં કૃષિ વિભાગની સલાહ માંગી. કૃષિ વિભાગે કૉન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટની કલમ 14 હેઠળ સૌથી પહેલા સમાધાન બોર્ડના ગઠનની કાર્યવાહી કરવાની સલાહ આપી. ત્યાર બાદ વેપારી નહીં માને તો તેના વિરૂદ્ધ આદેશ પસાર કરવાનો નિર્દેશ આપ્યો.
SDMએ કંપનીને કરી ટકોર
આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી SDMએ સમન્સ જાહેર કરી ફોર્ચ્યુન રાઇસ લિમિટેડના અધિકૃત પ્રતિનિધિને 24 કલાકમાં રજૂ થવા કહ્યું. ફોર્ચ્યુન રાઇસ લિમિટેડના ડાયરેક્ટર અજય ભલોટિયાના જવાબ સાથે રજૂ થયા. ત્યાર બાદ 'ખેડુત (સશક્તિકરણ અને સુરક્ષા) કરાર કિંમત ખાતરી અને કૃષિ સેવાઓ અધિનિયમ 2020 (કરાર ફાર્મિંગ એક્ટ)'ની કલમ 14(2)(a) હેઠળ સમાધાન બોર્ડની રચના કરવામાં આવી. બોર્ડમાં પિપરિયાના તહસીલદાર અને ખેડૂતોના પ્રતિનિધિને સામેલ કરવામાં આવ્યા.
SDM કોર્ટની સામે ઝુકી કંપની
સમાધાન બોર્ડની સામે કંપનીના કોન્ટ્રાક્ટ અનુસાર, ઉચ્ચતમ મૂલ્ય અનાજ ખરીદવા માટે રાજી થવું પડ્યું. એટલું જ નહીં, કંપની બજાર ભાવ વધવા પર પણ ખરીદીનો ભાવ વધારવા માટે રાજી થઇ ગઇ. બોર્ડમાં સહમતિના આધારે ફોર્ચ્યૂન રાઇસ લિ.એ કરાર કરેલ ખેડૂટો સાથે 2900+50 રૂપિયા બોનસની સાથે 3000 રૂપિયા ક્વિંટલના દરથી અનાજ ખરીદવાની મંજૂરી આપી. SDM કોર્ટે આનો આદેશ પસાર કર્યો.
આનાથી સંતુષ્ઠ ખેડૂતોનું કહેવું છે કે કંપની દ્વારા કૉન્ટ્રાક્ટ છતા અનાજ ખરીદી ન કરી જેનાથી ખુબ જ મોટું આર્થિક નુકસાન ઉઠાવવું પડત. ખેડૂત હિતના નવા કૃષિ કાયદા તેમના માટે આશાનું કિરણ લઇને આવ્યા છે. હવે તેઓ કરાર અનુસાર પોતાનો પાક કંપનીને વેચી શકશે.