નવી કૃષિ કાયદાને લઈને સરકાર અને ખેડૂતોની વચ્ચે તણાવ સતત યથાવત છે. ખેડૂતોએ મોદી સરકારના નવા પ્રસ્તાવને ફગાવી દીધો છે. સરકારના દોઢ વર્ષ સુધી નવા કાયદાને નિલંબિત કરવા માંગે છે. પરંતુ ખેડૂતો માનવા તૈયાર નથી. આજના બન્ને પક્ષોની વચ્ચે 11માં દોરની વાતચીત થશે. આ દરમિયાન એવું લાગી રહ્યું છે કે સરકાર તરફથી પ્રસ્તાવિત પગલા સંવિધાનની આંટીઘૂંટીમાં ફસાઈ શકે છે. જાણકારોનું કહેવું છે કે જો સરકાર આ દરમિયાન નવા કાયદા પર થોડાક સમય માટે પ્રતિબંધ લગાવે છે અથવા રદ્દ માટે તેમને સુપ્રીમ કોર્ટ અથવા સાંસદમાં જવું પડશે.
કાયદો સંસદમાં પાસ થઈ જાય તો સરકાર ફક્ત તેને લાગૂ કરી શકે છે
સંસદીય પ્રક્રિયામાં કોઈ એવી જોગવાઈ નથી જેમાં કોઈ કાયદાને પડતો મુકી શકાય
કાયદા પર હાલમાં પ્રતિબંધ મુકવાનો અધિકાર ફક્ત સુપ્રીમ કોર્ટની પાસે છે ન કે સરકાર પાસે
સંસદીય પ્રક્રિયામાં કોઈ એવી જોગવાઈ નથી જેમાં કોઈ કાયદાને પડતો મુકી શકાય
ગત વર્ષ સપ્ટેમ્બરમાં સંસદ દ્વારા આ કાયદાને પસાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સહમતિ બાદ 27 સપ્ટેમ્બરે આને સત્તાવાર રાજપત્રમાં અધિસૂચિત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સંસદ કોઈ પણ કાયદાને નાબૂદ કરી શકે છે પરંતુ સંવિધાન અથવા સંસદીય પ્રક્રિયામાં કોઈ એવી જોગવાઈ નથી જેમાં કોઈ કાયદાને પડતો મુકી શકાય
શું છે સમસ્યા?
સરકારનું કહેવું છે કે જો ખેડૂત તેમના પ્રસ્તાવને માને છે તો પછી સત્તાવાર રાજપત્રને રદ્દ કરવા માટે નવા નોટિફિકેશન જારી કરવામાં આવશે. પરંતુ કાયદાના જાણકારોનું કહેવું છે કે આ સરળ નથી. એક કાયદાના વિશેષજ્ઞએ કહ્યું કે મારા ખ્યાલથી કાયદાને સરકાર દ્વારા પડતો ન મુકી શકાય. એક વાર કાયદો સંસદમાં પાસ થઈ જાય તો સરકાર ફક્ત તેને લાગૂ કરી શકે છે.
સરકાર પાસે 2 વિકલ્પ છે
લોકસભા અને પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપનું કહેવું છે કે મે આવી સ્થિતિ નથી જોઈ જ્યાં સરકાર પોતે કાયદાને લાગૂ થયા બાદ ટાળવા ઈચ્છતી હોય. આચાર્ય કહે છે કે કાયદા પર હાલમાં પ્રતિબંધ મુકવાનો અધિકાર ફક્ત સુપ્રીમ કોર્ટની પાસે છે ન કે સરકાર પાસે. સરકાર આ કાયદાને પાછો સંસદમાં લઈ જઈ શકે છે. જ્યાં તેમાં સંસોધન અથવા તેને રદ્દ કરવા પર નિર્ણય લેવામાં આવી શકે છે.