નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં ખેડૂતોનું આંદોલનને હવે ૧૦૦ દિવસો પૂરા થવામાં છે, અને આ દરમિયાન રાકેશ ટિકૈતના દાવા અનુસાર આ મહિને એક ભાજપ સાંસદ આ આંદોલનના સમર્થનમાં રાજીનામું આપશે, અને જેટલા ભાજપના સાંસદો છે તેટલા દિવસ આ આંદોલન ચાલશે.
જો કે સાંસદના નામનો ખુલાસો નથી કર્યો
જો કે ટિકૈતે આ સાંસદના નામનો ખુલાસો કર્યો નથી, પરંતુ ઘણા પ્રકારની અટકળો લગાડવામાં આવી રહી છે, અમુક લોકોનું માનવું છે કે આ સાંસદ પશ્ચિમી યુપી અથવા હરિયાણા અને પંજાબના હોઇ શકે છે.
મહત્વનું છે કે રાકેશ ટિકૈતના પ્રયાસોના કારણે જ હાલમાં ખેડૂત આંદોલન ટકેલું છે અને નવીન સંસ્કરણ પામી રહ્યું છે, ટિકૈતે એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે સંસદમાં પણ શું ખેતપેદાશોને વેંચી શકાય છે, તેમણે કહ્યું હતું કે સરકારે એમ કહ્યું છે કે ખેડૂતો પોતાનો પાક ગમે ત્યાં વેચી શકે છે, અને કોઈ પણ કિંમતે વેચી શકે છે, તો જ્યાં આ કાયદાઓ બન્યા છે, તે સંસદની ઠીક બહાર પણ મંડી લગાડીને પાક વેચવું યોગ્ય રહેશે, કેમ કે એમએસપીની ગેરેન્ટી અહીં મળી શકશે.
ખેડૂતોને ટિકૈત દ્વારા આ અપીલ કરાઇ
રાકેશ ટિકૈતે ખેડૂતોને અપીલમાં કહ્યું હતું કે તેઓ પોતાના પાકને સીધો દિલ્હીમાં જ લઈને આવે અને સંસદની પાસે જ આવીને તેને વેંચે કે જેથી કરીને તેમને સાચી કિંમત મળી શકે. રાકેશ ટિકૈતે એમ પણ કહ્યું હતું કે તે પશ્ચિમ બંગાળમાં જઈને પંચાયત કરશે. તેમણે વધુમાં કહ્યું હતું કે ચૂંટણી હોય કે વોટ હોય તેમને એની સાથે કોઈ મતલબ નથી, પરંતુ ત્યાં જઈને ખેડૂતોને જાગરૂક બનવવાનું કામ કરીશું, અમે ખેડૂતોને જઈને કહીશું કે કઈ સરકાર તેમના હિતમાં છે? સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે ઘણા ભાજપ નેતા પણ તેમની સાથે છે.