કેન્દ્ર સરકાર દ્વારા આગામી સમયમાં શિક્ષણની નવી નીતિ લાવવામાં આવી રહી છે, જેને લઇને રાજ્યમાં ડ્રાફ્ટ મોકલ્યો હતો. આ મામલે ગાંધીનગર શહેરમાં સીએમ રૂપાણી અને શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને તજજ્ઞોની એક બેઠક યોજાઈ હતી.
શિક્ષણ નીતિમાં ફેરફાર માટે તમામ રાજ્યોના સૂચન મંગાવવામાં આવ્યા છે. જેને લઈને આજે ગુજરાતના શિક્ષણ વિદ એકઠા થયા હતા. જેમાં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીએ હાજરી આપી હતી. કેટલાક મુદ્દા એવા છે,જેને બદલવા સરકારે કહ્યું તો કેટલાક એવા મુદ્દા છે. જેને બદલવા જરૂરી હોવાનું સૂચન વિદો દ્વારા કરાયું હતું.
દેશમાં 1968 બાદ પ્રથમ વખત શિક્ષણ નીતિ બદલવા માટે કેન્દ્ર સરકાર વિચારી રહી છે. ત્યારે તમામ રાજ્યોના સૂચન મંગાવવામાં આવ્યા છે. જેના ભાગ રૂપે આજે શિક્ષણ વિદ એકઠા થયા હતાં. નવી શિક્ષણ નીતિ મામલે ચર્ચા કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીઓ એ હાજરી આપી હતી. એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવશે નવી શિક્ષણ નીતિના સૂચનો માટે અને તેને કેન્દ્રમાં મોકલવામાં આવશે. બાદમાં તમામ શિક્ષણ મંત્રીઓને બોલાવી તેની બેઠક દિલ્હીમાં યોજશે. ત્યાર બાદ નવી નીતિ તૈયાર કરવામાં આવશે.
શિક્ષણ નીતિ મામલે વિવિધ સૂચનો
- કેન્દ્રની નીતિ સાથે તમામ વાતે સહમત થવું જરૂરી નથી.
- આપણી અસહમતી ના યોગ્ય કારણો પણ દર્શાવવા પડશે.
- સરકારી અને ખાનગી શાળાઓ સામેનો નજરીયો બદલવો પડશે.
- ખાનગી શાળાઓના શિક્ષકોને પણ રક્ષણ મળવું જોઈએ.
- GTUમાં એન્જીનીયરીંગની 50 ટકા બેઠકો ખાલી છે તેના વિશે વિચાર કરવો જરૂરી.
- યુનિવર્સીટીઓની મંજૂરીને આપણે છૂટ આપી છે જેને યુનિવર્સીટીઓ જોઈએ આપી છે.
- ભવિષ્યની પેઢી ના ઘડતર માટે મજબૂત નિર્ણય લેવા પડશે.
- આખા દેશમ FRC કેમ ન હોય, આ સૂચન પણ કરવુ જોઈએ.
- ધો 1થી 3માં પાયો કાચો રહી જાય છે, જેના કારણે ડ્રોપ આઉટ વધે છે.
- ધો 1થી 3માં શિક્ષકો પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.
- જેથી કરીને ડ્રોપ આઉટ ઘટાડી શકાય અને બાળકો ધો.5 પછી શિક્ષણ છોડે નહીં.
- ધો 12 સુધી માતૃભાષાનો વિષય ફરજીયાત હોવો જોઈએ.
- રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં બધું સમાન હોવું જોઈએ.
- ખાનગી અને સરકારી શાળા માટે સમાન નિયમો અને અમલીકરણ હોવું જોઈએ.
- ગુજરાતની સરકારી, ખાનગી બધી શાળાઓનું સરખું મૂલ્યાંકન થવું જોઈએ.
- સરકારી શિક્ષકોને એવોર્ડ વિતરણથી કોઈ લાભ નહીં થાય.
- FRC મુદ્દે ગુજરાતે પહેલ કરી છે અને સુપ્રીમના નિર્ણય બાદ તમામ રાજ્યોમાં આ લાગુ થશે.
જેવા અનેક મુદ્દાઓ ગૃહમાં ઉઠ્યા હતાં. સાથોસાથ કેટલાંક મુદ્દાઓ મામલે સીએમ રૂપાણીએ બેઠકમાં રાજ્યના શિક્ષણવીદોને વર્તમાન શિક્ષણ મામલે સંવેદના વ્યકત કરી હતી.
આમ નવી શિક્ષણ નીતિને લઈને ચર્ચાઓ કરવામાં આવી છે. તો હજી પણ શિક્ષણ ક્ષેત્રે જે ખામીઓ છે તે દૂર કરવાની જરૂર છે. સાથે જ સરકારની જે નીતિઓ છે. તેને પણ બદલવી જરૂરી બની ગઈ હોવાનું સામે આવ્યું છે.