ચીનની એક લેબોરેટરીએ એવી દવા વિકસીત કરવામાં આવી રહી છે જેના અંગે દાવો કરવામાં આવ્યો છે કે આ કોરોનાવાયરસ મહામારીને રોકી શકે છે. વૈજ્ઞાનિકોનો દાવો કર્યો છે કે વેક્સીન વગર કોરોનાનો ઇલાજ કરી શકાશે. દુનિયાભરમાં કોરોનાના કહેર પહેલા ગત વર્ષના અંતમાં ચીનમાં આ વાયરસનો પ્રકોપ સામે આવ્યો હતો. ત્યારબાદ તેના ઇલાજ અને વેક્સીનની શોધ કરવા માટે દુનિયા ભરના દેશો લાગી ગયા છે.
ચીનના પ્રતિષ્ઠિત પેકિંગ વિશ્વવિદ્યાલયમાં વૈજ્ઞાનિકો દ્વારા ટ્રાયલ કરવામાં આવી રહેલી દવા માત્ર સંક્રમિત લોકોમાં રિકવરીંગનો સમય ઓછો કરી રહી છે, આ સાથે વાયરસથી શોર્ટ ટર્મ ઇમ્યુનિટિ પણ આપી શકે છે.
યુનિવર્સિટીના બેઇજિંગ એડવાન્સડ ઇનોવેશન સેન્ટર ફોર જીનોમિક્સના સુનીની ઝીએ FFP ને જણાવ્યું કે અભ્યાસ દરમિયાન દવા પશુ પર સફળ જોવા મળી છે. ઝીએ જણાવ્યું કે અમે જ્યારે પોઝિટિવ ઉંદરમાં ન્યૂટ્રાઇજિંગ એંટીબોડિઝને ઇંજેક્ટ કર્યું, તો પાંચ દિવ પછી વાયરલ લોડ 2,500ના કારણે ઓછું થઇ ગયું, જેનો મતલબ છે કે આ સંભિવત દવાની રોગપ્રતિકારક અસર છે.
બિમારીનો સંભવિત ઇલાજ અને રિકવર થવાના સમયમાં ઘટાડો
દવા વાયરસને સંક્રમિત કરનારી કોશિકાઓને રોકવા માટે પ્રતિરક્ષા પ્રણાલી દ્વારા ઉત્પાદન એંટીબોડીઝને બેઅસર કરનારા એંટીબોડીનો ઉપયોગ કરે છે, જેને ઝી ની ટીમે 60 દર્દીઓના લોહીથી અલગ કર્યું. સાઇન્ટીસ્ટ જર્નલ સેલમાં રવિવારે પ્રકાશિત ટીમની એક શોધ પર એક અધ્યયન પર જણાવાયું કે એંટીબોડીનો ઉપયોગ કરવાથી બિમારીનો સંભવિત ઇલાજ થઇ શકે છે અને રિકવર થવાનો સમય પણ ઘટી શકે છે.
ઝી એ જણાવ્યું કે તેમની ટીમ એંટીબોડી માટે દિવસ-રાત કામ કરી રહી હતી. તેઓએ કહ્યું કે અમારી વિશેષતા ઇમ્યુનિટી સાઇંટ અથવા વાયરસ સાઇન્સ ના બદલે સિંગલ સેલ જીનોમિક્સ છે. જ્યારે અમે જોયું કે સિંગલ સેલ જીનોમિક પ્રભાવી થઇ શકે છે તે અમે ખુશ થઇ ગયા. તેઓએ જણાવ્યું કે અમને આશા છે કે આ દવા વર્ષના અંત સુધીમાં કોઇપણ ઠંડીના મોસમમાં વાયરસના સંભવિત પ્રકોપનો સામનો કરવા માટે તૈયાર થઇ જશે.