દેશમાં આયુષ્માન ભારત યોજના અંતગર્ત ઘણી ડિઝીટલ સેવાઓ લોન્ચ કરવામાં આવી છે.જેમાં અત્યાર સુધી 2.2 કરોડ લોકોને વિવિધ સેવાનો લાભ મળ્યો છે.
આયુષ્માન ભારત અંતર્ગત લોકોને ફ્રીમાં સારવાર કરવામાં આવે છે
અત્યાર સુધી 2.2 કરોડ લોકોએ લીધી છે ફ્રીમાં સારવાર
યોજના અંતગર્ત ઘણી સેવાઓ પણ શરૂ કરાઈ
આયુષ્માન યોજના અંતર્ગત થકી વિવિધ સેવાઓ શરૂ
કેન્દ્વ સરકાર પોતાની સૌથી મોટી સ્વાસ્થય યોજના આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને વિસ્તારીત કર્યું છે. સરકારે આ યોજના થકી હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક કિયોસ્ક, બેનેફિસરી ફેસિલાઈઝેશન એજન્સી, પીએમજેવાઈ કંમાન્ડ સેંન્ટર જેવી વઘારાની સેવાઓ શરૂ કરી છે.
અત્યાર સુધીમાં 2.2 કરોડ લોકોએ યોજનાનો લાભ લીધો
યોજનાને લાગુ કરવા વાળી એજન્સીઓ રાષ્ટ્રીય સ્વાસ્થય પ્રાધિકરણનો ઉદ્દેશય લાભાર્થીઓ માટે યોજનાની સ્વાસ્થય સેવાઓનો લાભ ઉઠાવવાનું સરળ બનાવવાનું છે. આયુષ્માન ભારત યોજનાની 23મી સપ્ટેમ્બરે 3 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. ત્યારે કેન્દ્વીય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસૂખ મંડાવિયાએ જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત યોજનાએ પાછલા 3 વર્ષોમાં 2.2 કરોડથી વધુ લોકોએ સ્વાસ્થય સેવા ક્ષેત્રમાં ડિઝિટલ ટેક્નોલોજીનો લાભ ઉઠાવી સેવાઓની વિતરણ વ્યવસ્થા મજબૂત અને કુશળ બનાવવાની છે
આવો જાણી આયુષ્માન યોજના શું છે ?
આયુષ્માન ભારત ને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અથવા નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ અથવા મોદીકેરના નામથી પણ જાણવામાં આવે છે. કેંન્દ્વ સરકાર આ યોજના અંતર્ગત 10 કરોડથી વધુ પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ વીમા ઉપલ્બધ કરાવી રહી છે
સારવાર માટે જરૂરી છે ગોલ્ડન કાર્ડ
આ યોજના અંતગર્ત દેશના 10 કરોડ ગરીબ પરિવારોને કેંસર સહિત 1300થી વધુ બીમારીયોનું નિઃશૂલ્ક અને દરેક પરિવારોને 5 લાખ રૂપિયા સુધી વીમો કવર કરવામાં આવે છે. તો તમારી પાસે ગોલ્ડન કાર્ડ હોવવું જરૂરી છે. આ કાર્ડને આયુષ્માન કાર્ડથી પણ જાણવામાં આવે છે.
ગોલ્ડન કાર્ડ બનાવવું થશે આસાન
જો તામરું નામ આયુષ્યમાન ભારત યોજનામાં છે અને આપ ગોલ્ડન કાર્ડ બનાવવા માંગતાં હોવ, તો તમારે આ યોજનામાં સમાવેલી હોસ્પિટલ અથવા જન સેવા કેન્દ્વનો સંપર્ક કરવો પડશે. ગ્રામીણ ક્ષેત્રોમાં કાર્ડ બનાવવા માટે આપ જનસેવા કેન્દ્વો બનાવવામાં આવ્યાં છે.જ્યાંથી આપ આ કાર્ડને બનાવી શકશો. કાર્ડ બનાવવા પહેલા માત્ર 30 રૂપિયા આપવા પડશે અને સાથે રાશન કાર્ડ અને આધારકાર્ડ અને મોબાઈલ નંબર જણાવવો પડશે
આયુષ્માન ભારતમાં આવી રીતે દેખો પોતાનું નામ
સૌથી પહેલા આ લિંક પર કિલક કરો https:mera.gov.in/search/login| કર્યા બાદ પોતાનો મોબાઈલ નંબર એડ કરો તેના બાદ કેપ્ચા એડ કરો પછી એક ઓટીપી જનરેટ થશે. ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરો, ત્યારપછી પોતાનું નામ અથાવ જાતિ શ્રેણીથી સર્ચ કરો ત્યાર બાદ પોતાની ડિટેઈલ એન્ટર કરો અને સર્ચ કરો
આયુષ્માન ભારત હેલ્પલાઈન નંબર
આપ આ નંબરો પર આ વાતની પુષ્ટી કરી શકો છો કે, આપ આયુષ્માન ભારત યોજનાના લાભાર્થી છો કે નહી. હેલ્પલાઈન નો નંબર 14555 છે. આના પર દર્દી આયુષ્માન ભારત યોજનાની જાણકારી પણ લઈ શકે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો એક વધુ હેલ્પલાઈન નંબર 1800 111 565 પણ છે. આ નંબરો 24 કલાક ચાલુ રહે છે