સુપ્રિમ કોર્ટે પીસીઆઈની અપીલને ફગાવી દેતાં કહ્યું કે નવી ફાર્મસી કોલેજો ખોલવા પર પ્રતિબંધ મુકવાની સત્તાનો ઉપયોગ માત્ર એક્ઝીક્યુટીવ એક્શન દ્વારા કરી શકાય નહી.
સુપ્રીમ કોર્ટે પીસીઆઈની અપીલને ફગાવી
સત્તાનો ઉપયોગ માત્ર એક્ઝીક્યુટીવ એક્શન દ્વારા કરી શકાય નહી
ત્રણ અલગ-અલગ પરંતું સમાન નિર્ણયોને પડકારવામાં આવ્યો
સુપ્રિમ કોર્ટે ગુરુવારે કહ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવાનો અધિકારએ મૂળભૂત અધિકાર છે જેના પર રાજ્ય માત્ર કાયદા દ્વારા જ વ્યાજબી નિયંત્રણો લાદી શકે છે અને વહીવટી નિર્દેશ દ્વારા નહીં. ટોચની અદાલતનો મહત્વપૂર્ણ નિર્ણય ફાર્મસી કાઉન્સીલ ઓફ ઈન્ડીયા દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલના બેંચ પર આવ્યો હતો. જેમાં છત્તીસગઢ, દિલ્હી અને કર્ણાટકની ઉચ્ચ અદાલતોના ત્રણ સમાન પરંતું અલગ- અલગ નિર્ણયોને પડકારવામાં આવ્યો હતો.
ચુકાદાઓ પર પીસીઆઈ ની અપીલને ફગાવી દીધી
ઉચ્ચ અદાલતોએ પીસીઆઈ ની 17 જુલાઈ અને 9 સપ્ટેમ્બરની દરખાસ્તો સામે ધણી ફાર્મસી સંસ્થાઓની અરજીઓ સ્વીકારી હતી. જેમાં દેશમાં નવી ફાર્મસી કોલેજો ખોલવા પર પ્રતિબંધ હતો. જસ્ટીસ બીઆર ગવઈ અને પીએસ નરસિમ્હામી બેંચે હાઈકોર્ટને નિર્ણયને માન્ય રાખ્યો હતો અને આ ચુકાદાઓ પર પીસીઆઈ ની અપીલને ફગાવી દીધી હતી.
સર્વોચ્ચ્ અદાલતે કહ્યું હતું કે શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવાનો મૂળભુત અધિકાર હોવા છતાં તે વ્યાજબી પ્રતિબંધોને આધીન હોઈ શકે છે. જે સામાન્ય જનતાના હિતમાં જરુરી જણાય છે. આવા અધિકાર પર વ્યાજબી પ્રતિબંધ જ લાદી શકાય છે.
વહીવટી નિર્દેશોનો ઉપયોગ કરી શકાતો નથી
કોર્ટે અવલોકન કર્યું કે કર્ણાટક, દિલ્હી અને છત્તીસગઢની હાઈકોર્ટ દ્વારા લેવામાં આવેલો દ્વષ્ટીકોણ કાયદાની સાચી સ્થિતિ દર્શાવે છે. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે બંધારણની કલમ 19(1)(જી) હેઠળ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપનાના મૂળભૂત અધિકાર પર નિયત્રણો લાદવા માટે વહીવટી નિર્દેશોનો ઉપયોગ કરી શકાતો નથી. પીસીઆઈ ની અપીલ આ સંક્ષિપ્ત આધાર પર ફગાવી દેવા માટે જવાબદાર છે. આવા પ્રતિબંધો વ્યાપક સામાન્ય જનતાના હિતમાં હોઈ શકે છે. જો કે તે કરવું હોય તો તે કાયદા અનુસાર સખ્ત કરવું પડશે.