દિલ્હીને સતત બીજી વાર દુનિયાની સૌથી વધારે પ્રદૂષિત રાજધાની ગણાવવામાં આવી છે.
દિલ્હી દુનિયાની 50 રાજધાનીઓમાં સૌથી વધારે પ્રદૂષિત શહેર
ભારતમાં દર વર્ષે 12 લાખ લોકોના મોત હવા પ્રદૂષણના કારણે
દુનિયાના 50 સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં 35 ભારતમાં
દિલ્હી દુનિયાની 50 રાજધાનીઓમાં સૌથી વધારે પ્રદૂષિત શહેર
સ્વિઝરલેન્ડની સંસ્થા આઈક્યૂએરની રેટિંગમાં દિલ્હી દુનિયાની 50 રાજધાનીઓમાં સૌથી વધારે પ્રદૂષિત શહેર છે. અહીં પીએમ 2.5નું સ્તર ઘણું વધારે છે. જે ફેંફસા સંબંધિત બિમારીઓને જન્મ આપે છે. આઈક્યૂએરના જણાવ્યાનુંસાર આટલા પ્રયત્નો તતા લોકડાઉન બાદ ગત વર્ષ દિલ્હીના પ્રદૂષણનું સ્તર ઓછું નથી થયું.
દુનિયાના 50 સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં 35 ભારતમાં
આઈક્યૂએરની 2020 વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટમાં 106 દેશો પ્રદૂષણ સ્તરનો ડેટા તપાસવામાં આવ્યો. જેમાં દુનિયાના 50 સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં 35 ભારતમાં છે. જેમાં દિલ્હી સૌથી વધારે પ્રદૂષિત શહેર અને દુનિયાની સૌથી પ્રદૂષિત રાજધાની છે. આઈક્યૂએરએ પ્રદૂષણનું આ સ્તર દેશમાં પીએમ 2.5 પાર્ટિકલ્સના વાર્ષિક ઔસતના આધાર પર કાઢ્યું છે. આ એવા કર્ણ હોય છે જે 2.5 માઈક્રોન વ્યાસના હોય છે. જેના સંપર્કમાં વધારે સમય રહેવાથી ઘાતક બિમારીઓ થઈ શકે છે.
બેજિંગ દુનિયાનું 14મું સૌથી વધારે પ્રદુષિત શહેર
2020માં નવી દિલ્હીમાં પીએમ 2.5ના વાર્ષિક ઔસત 84.1 પ્રતિ ક્યૂબિક મીટર હતો. આ ચીનની રાજધાની બેજિંગની સરખામણીએ બેગણા સ્તર પર હતો. બેજિંગમાં પીએમ 2.5ના વાર્ષિક ઔંસત 37.5 ટકા ક્યૂબિક મીટર નોંધાયો છે. બેજિંગ દુનિયાનું 14મું સૌથી વધારે પ્રદુષિત શહેર છે.
ગ્રીનપીસ સાઉથઈસ્ટ એશિયા એનાલિસિસ અને આઈક્યૂએરની સ્ટડી મુજબ વાયુ પ્રદૂષણના કારણે નવી દિલ્હીમાં વર્ષ 2020માં 54 હજાર લોકોમાં અસામયિક મૃત્યુ એટલે કે સમયની પહેલા મોત થયા છે. દિલ્હીમાં આટલા મોત ત્યારે થયા જ્યારે સમગ્ર દેશમાં પીએમ 2.5ના વાર્ષિક ઔલસતમાં 11 ટકા ઘટાડો આવ્યો છે. આ ઘટાડો લોકડાઉનને લીધે આવ્યો હતો. આ યાદી મુજબ સૌથી પ્રદૂષિત દેશ બાંગ્લાદેશ, એ બાદ પાકિસ્તાન અને ત્રીજા નંબર પર ભારત છે. લોકડાઉનમાં પ્રદૂષણમાં રાહત મળી હતી પણ લોકડાઉન ખુલતા તેનું સ્તર વધ્યું છે.
ભારતમાં દર વર્ષે 12 લાખ લોકોના મોત હવા પ્રદૂષણના કારણે
ગત વર્ષ નવેમ્બરમાં જ્યારે પરાળી સળગાવવામાં આવી તે સમય દરમિયાન પીએમ 2.5 ઔસત સ્તર 144 માઈક્રોગ્રામ્સ પ્રતિ ક્યૂબિક મીટર દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ડિસેમ્બરમાં આ 157 માઈક્રોગ્રામ્સ પ્રતિ ક્યૂબિક મીટર દાખલ કરવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર આંતરરાષ્ટ્રીય માપદંડોની સરખામણીએ 14 ગણી વધારે હતી. એક રિપોર્ટ મુજબ ભારતમાં દર વર્ષે 12 લાખ લોકોના મોત હવા પ્રદૂષણના કારણે થાય છે. આના કારણે દેશની જીડીપીમાં 3 ટકા નુકસાન થાય છે. આની પાછળ પરાળી, ગાડીનો ધૂમાડો, ર્ફોસિલ ફ્યૂલ અને ઈન્ડસ્ટ્રીથી નીકળતા પ્રદૂષણને જવાબદાર મનાય છે.