સંયુક્ત કિસાન મોર્ચાએ ભાજપના સાંસદો અને ધારાસભ્યોને કહ્યું કે જો તેઓ આંદોલનનું સમર્થન કરે નહીં તો તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટીના નેતા સ્થિતિ બદલો- સંયુક્ત ખેડૂત મોર્ચો
ખેડૂતોએ સાંસદો અને ધારાસભ્યોને સ્પષ્ટ ચેતવણી આપી દીધી
માટી સત્યાગ્રહ યાત્રા કુંડલી પહોંચી
ખેડૂતોએ સાંસદો અને ધારાસભ્યોને સ્પષ્ટ ચેતવણી આપી દીધી
સંયુક્ત કિસાન મોર્ચાએ ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ધારાસભ્યોને સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે તેમના આંદોલનનું સમર્થન કરે નહીં તો તેમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવશે. મોર્ચાના નેતાઓએ કહ્યું કે જે રીતે દેશમાં માહોલ બની રહ્યો છે જેમાં આવનારા દિવસોમાં ભાજપના નેતાઓનું ઘરની બહાર નિકળવું પણ દુર્લભ થઈ જશે. ખેડૂત સંયુક્ત મોર્ચાના નેતાઓએ કહ્યું કે મંગળવારે રાજસ્થાનના હનુમાનગઢમાં જિલ્લા પરિષદની બેઠકમાં સાંસદ નિહાલચંદ આવવાના હતા. પરંતુ આ મોટી સંખ્યામાં ખેડૂતો જમા થઈ ગયા જેનાથી ડરીને ભાજપના સાંસદ બેઠકમાં આવ્યા જ નહીં.
ભારતીય જનતા પાર્ટીના નેતા સ્થિતિ બદલો- સંયુક્ત ખેડૂત મોર્ચો
સંયુક્ત ખેડૂત મોર્ચાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના નેતા સ્થિતિ બદલો. દેશના અનેક ભાગોમાં ભાજપ તથા અન્ય દળોના નેતાઓના કૃષિ કાયદાની વિરુદ્ધ ચાલી રહેલા સંઘર્ષને સમર્થન આપતા પોતાનું પદ છોડી દીધુ છે. મોર્ચાના નેતા ડો. દર્શનપાલ, ગુરનાલ સિંહ ચઢૂની, અભિમન્યુ કોહાડ વગેરેને કહ્યું કે તે ફરીતી ભાજપ સહિતના અન્ય દળોના નેતાઓને અપીલ કરી રહ્યા છે કે તે આંદોલનનું સમર્થન કરે. નહીંતર તે દિવસ દૂર નથી કે જ્યારે લોકો નેતાઓને ગામમાં ઘૂસવા નહીં દે.
માટી સત્યાગ્રહ યાત્રા કુંડલી પહોંચી
આ દરમિયાન દેશભરમાં માટી સત્યાહગ્રહ યાત્રા મંગળવારે કુંડળી બોર્ડર પર પહોંચી. આ પ્રવાસથી લાવવામાં આવેલી માટીનો ઉપયોહ બોર્ડર પર બનેલા શહીદ સ્મારકમાં કરવામાં આવશે. માટી સત્યાગ્રહ પ્રવાસ શહીદ ભગત સિંહના ગામ ખટકડ કલાં, શહીદ સુખદેવના ગામ નૌધરા, ઉધમ સિંહના ગામ સુનામ, શહીદ ચંદ્રશેખર આઝાદના જન્મ સ્થળ ભાભરા, ઝાબુઆ, મામા બાલેશ્વર દયાલની સમાધિ બામનિયા, સાબરમતી આશ્રમ, સરદાર પટેલના નિવાસ, અસમમાં શિવ સાગર, પશ્ચિમ બંગાળમાં સિંગુર અને નંદીગ્રામ, ઉત્તર દીનાજપુર, કર્ણાટકના વસવ કલ્યાણ તથા બેલારી થતા કુંડલી બોર્ડર પર પહોંચી છે.
ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાને પૂરી રીતે પાછો ખેંચવાની માંગને લઈને અનેક રાજ્યોના ખેડૂતો દિલ્હી -એનસીઆરની ચારેય બોર્ડર(શાહજહાંપુર, ટીકરી, સિંધૂ અને ગાજીપુર) પર બેઠા છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી ત્રણ કૃષિ કાયદાને રદ્દ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આંદોલન ખતમ નહીં કરીએ.