ભાકિયૂના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે આંદોલનને લાંબુ ચલાવવાનો ફોર્મુલા જણાવ્યો છે. તેણે કહ્યું કે એક ગામમાંથી 1 ટ્રેક્ટર, 15 લોકો 10 દિવસ સુધી અહીં રહે. આ રણનીતિથી ધરણા ચાલુ રહેશે. ટિકૈતે કહ્યું કે સરકાર કૃષિ કાયદાના વિરોધમાં ચાલુ ધરણાને લાંબા ચલાવવા માંગે છે. સરકાર મામલાનો ઉકેલ નથી ઈચ્છતી. તેવામાં પ્રદર્શનકારી પણ ધરણામાં લાંબા ચલાવવા તૈયાર છે.
ખેડૂતોના આંદોલનને 70 દિવસ વિતી ચૂક્યા છે
પોલીસે ખિલ્લીઓ હટાવવાને લઈને ગોળગોળ જવાબ આપ્યો
એક ગામમાંથી 1 ટ્રેક્ટર, 15 લોકો 10 દિવસ સુધી અહીં રહે
પોલીસે ખિલ્લીઓ હટાવવાને લઈને ગોળગોળ જવાબ આપ્યો
એક તરફ ગાજીબોર્ડર પર લોખંડની મોટી મોટી ખિલ્લીઓ લગાવ્યા બાદ દિલ્હી પોલીસની ચારેય તરફ મજાક ઉડી રહી છે. તેવામાં પોલીસ લોકોના નિશાના પર આવી છે. ઈન્ટરનેટ મીડિયા પર આ ખિલ્લીઓને લઈને મન મુકીને વિરોધ થઈ રહ્યો છે. ફેસબુક અને ટ્વીટર પર આ ખિલ્લીઓના ફોટો અલગ અલગ પ્રકારથી રજુ કરાઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓએ પણ આ ખિલ્લીઓની ધારને છુંદી નાંખી હતી. ઘણી બદનામી બાદ પોલીસે ગુરુવારે આ ખિલ્લીઓને હટાવી દીધી હતી. આ દરમિયાન એક પણ પોલીસ કર્મી ત્યાં હાજર નહોંતા. ત્યારે ખિલ્લીઓ હટાવવાને લઈને ગોળગોળ જવાબ આપ્યો હતો.
ખેડૂતોના આંદોલનને 70 દિવસ વિતી ચૂક્યા છે.
ગણતંત્ર દિવસની ટ્રેક્ટર પરેડની આડમાં અસામાજિક તત્વોના ઉપદ્વવ બાદ બોર્ડર પર દિલ્હી પોલીસે ખિલ્લીઓ લગાવી હતી. જેથી પ્રદર્શન કારીઓ ફરીથી ટ્રેક્ટરો લઈ દિલ્હીમાં ન પ્રવેશી શકે. બોર્ડર પર ખિલ્લીઓ લગાવ્યા બાદ લોકોએ પોલીસને ઘેરવાનું શરુ કરી દીધુ. અનેક લોકોએ ઈન્ટરનેટ મીડિયા પર લખ્યું કે પોલીસે રાહોમે કાંટે બિછાએ. કેટલાકે લખ્યું કે પોલીસે ભલે પ્રદર્શનકારીઓ માટે ખિલ્લીઓ લગાવી હોય પણ રસ્તાતો સામાન્ય માણસો માટે પણ છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી- એનસીઆરમાં 3 મુખ્ય જગ્યાઓ ટિકરી, સિંઘુ અને ગાજીપુર બોર્ડર પર ખેડૂતોના આંદોલનને 70 દિવસ વિતી ચૂક્યા છે.
આંદોલન સ્થળ પર વીજળી, પાણીનો સપ્લાય માટે અમિત શાહને વિપક્ષીઓનો પત્ર
ઉલ્લેખનીય છે કે આ દરમિયાન સંસદમાં સત્ર પણ ચાલી રહ્યું છે. જ્યાં વિપક્ષ તરફથી આ મામલાને જોર શોરથી ઉઠાવવામાં આવી રહ્યો છે. ગુરુવારે 10 વિપક્ષી દળોના સાંસદોએ ખેડૂત આંદોલનના મામલા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. જેમાં અપીલ કરવામાં આવી છે કે ખેડૂતોને આંદોલન સ્થળ પર જે એક્શન લેવામાં આવી રહ્યા છે. તેમને રોકવામાં આવે. વિપક્ષી સાંસદોએ અમિત શાહને ચિઠ્ઠી લેખીન માંગ કરવામાં આવી છે. આંદોલન સ્થળ પર વીજળી, પાણીનો સપ્લાય શરુ કરી દેવામાં આવે. સરકાર દ્વારા જે પગલા ભરવામાં આવ્યા છે તેને બંધ કરવામાં આવે. આ પત્રમાં 10 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. જેમાં દિગ્વિજય સિંહ, સંજય સિંહ, મનોજ ઝા, રામ ગોપાલ યાદવ, તિરુચી શિવા સહિત અન્ય 10 સાંસદો સામેલ છે.
8 વિપક્ષી દળોના નેતાઓ ખેડૂતોને મળવા ન દેવાયા
ઉલ્લેખનીય છે કે ગુરુવારે 8 વિપક્ષી દળોના નેતાઓ ખેડૂતોને મળવા માટે ગાજીપુર બોર્ડર પર પહોંચ્યા હતા. અહીં પ્રદર્શન કરી રહેલા ખેડૂતને મળવા પહોંચેલા વિપક્ષને દિલ્હી પોલીસે રોક્યા હતા. પોલીસે નેતાઓને ખેડૂતને મળવા દીધા નહોંતા. આ બાદ વિપક્ષી દળોના નેતાઓને પાછા ફરવું પડ્યું. પોલીસ વિપક્ષી દળોના નેતાઓને ત્યાંથી બીજી જગ્યાએ લઈ ગઈ હતી. વિપક્ષી દળોના નેતાઓ ટીએમસી નેતા સૌગત રોય, શિરોમણી અકાળી દળના હરસિમરત કૌર બાદલ, એનસીપીના સાંસદ સુપ્રિયા સુલે, ડીએમકેના એમ કનિમોઈ પણ સામેલ હતા.