કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાઇબર ફ્રોડથી થતાં નાણાંકીય નુકશાનને રોકવા માટે થઈ લીધું આટલું મોટલું પગલું
હેલ્પલાઈન નંબર 155260 અને ઓનલાઈન રિપોર્ટિંગ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું
એપ્રિલ 2021 થી શરૂ કરી દેવામાં આવી છે
ઇંડિયન સાઇબર ક્રાઇમ કો- ઓર્ડિનેશન દ્વારા સંચાલિત કરવામાં આવશે
હેલ્પલાઈન નંબર 155260 અને ઓનલાઈન રિપોર્ટિંગ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સાઇબર ફ્રોડથી થતાં નાણાંકીય નુકશાનને રોકવા માટે થઈ રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર 155260 અને ઓનલાઈન રિપોર્ટિંગ પ્લેટફોર્મ શરૂઆત કરવામાં આવ્યું છે. મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય હેલ્પ લાઇન નંબર અને રિપોર્ટિંગ પ્લેટફોર્મ દ્વારા સાઇબર ફ્રોડનો ભોગ બનનાર લોકો માટે ફરિયાદ કરી શકે તે માટેનું એક માધ્યમ બન્યું છે. જેનાથી તનતોડ મહેનતથી કમાયેલા પૈસાને આવા સાઇબર ફ્રોડ થતાં લોકો પાસે જતાં અટકાવી શકાય.
એપ્રિલ 2021 થી શરૂ કરી દેવામાં આવી છે
પોતાની વાત કહેતા કહ્યું કે ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત કરવા માટે મોદી સરકાર પહેલેથી કટિબદ્ધ રહી છે. કેન્દ્રીય હોમ મિનિસ્ટર અમિત શાહના નેતૃત્વમાં સાઇબર ફ્રોડથી થતાં નાણાંકીય નુકશાનને રોકવા માટે થઈ રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર 155260 અને ઓનલાઈન રિપોર્ટિંગ પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવ્યું છે. તેના સંબધિત હેલ્પલાઈન એપ્રિલ 2021 થી શરૂ કરી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલય દ્વારા હેલ્પલાઈન નંબર 15260 અને ઓનલાઈન રિપોર્ટિંગ પ્લેટફોર્મને ઇંડિયન સાઇબર ક્રાઇમ કો- ઓર્ડિનેશન દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે. જેમાં ભારતીય રિઝર્વ બેન્ક, દેશની મોટી બેંકો, અને ઓનલાઈન પેમેન્ટ માટેના વૉલેટ અને બીજી બધી જ સર્વિસ દ્વારા સક્રિય સહયોગ મળ્યો છે.
ઇંડિયન સાઇબર ક્રાઇમ કો- ઓર્ડિનેશન દ્વારા સંચાલિત કરવામાં આવશે
I4C દ્વારા કાનૂન પ્રવર્તન એજન્સીઓ, બેંકો, અને મધ્યવર્તી સંસ્થાઓને એકીકૃત કરવા માટે થઈને વિકસિત કરવાનું કહ્યું છે. હાલમાં આ હેલ્પલાઈન નંબરમાં સાત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં શરૂ કરવામાં આવ્યો છે. જેમાં છત્તીસગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશને સામેલ કરવામાં આવ્યો છે. જેમાં દેશની 35 ટકાથી વધુ વસ્તીનો સમાવેશ થઈ જાય છે. ફ્રોડ કરનાર લોકો દ્વારા પ્રજાની મહેનતના પૈસા પર અંકુશ લાવી શકાય.