દેશમાં સોનુ હવે હોલમાર્ક વગર નહી વેચી શકાય. મોદી સરકાર આવતાા વર્ષે સોનાને લઇને નવો નિયમ લાગૂ કરી દેશે. ન્યુ કસ્ટમર પ્રોટેક્શન એક્ટ-2019 લાગુ થયા બાદ સોનાના ઘરેણાને ખરીદનાર વ્યક્તિને કોઇ ઠગી નહી શકે. આ નિયમ લાગૂ થયા બાદ સોનાના વેપારીએ તમારી સાથે કોઇ પણ પ્રકારનો ફ્રોડ કરવાનો પ્રયત્ન કર્યો તો તેના વિરુદ્ધ કાર્યવાહી થશે.
નવો ગ્રાહક સુરક્ષા કાયદો 2021માં થશે લાગૂ
હૉલમાર્ક નિયમ કરવામાં આવશે લાગૂ
સોનુ ખરીદતા પહેલા ધ્યાનમાં રાખજો આ નિયમ
હૉલમાર્ક નિયમમાં શું થશે બદલાવ
આ નવા એક્ટ માટે ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાાને કહ્યું કે, સોનીઓએ થોડો વધારે સમય માંગ્યો હતો. માટે સોનાને લઇને સરકારે જે ગાઇડલાઇન્સ આપી હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે, ગ્રાહક સોનુ ખરીદતી વખતે તેની ક્વોલિટી પર જરૂર ધ્યાન આપે છે પરંતુ હોલમાર્ક જોઇને સોનુ ખરીદવાની ટેવ ભારતીય લોકોને નથી. હૉલમાર્ક એક રીતે સરકાર તરપથી આપવામાં આવતી ગેરંટી છે. હૉલમાર્ક હોવાનો ફાયદો તે છે કે તમે જ્યારે પણ તમારા ઘરેણા વેચશો તમને ઓછી કિંમત નહી મળે. કેન્દ્ર સરકાર તરફથી 15 જાન્યુઆરી 2020માં આ સૂચના લાગૂ કરી દેવામાં આવી હતી પરંતુ કોરોનાને કારણે હવે જૂન 2021થી આ નિયમ લાગૂ કરવામાં આવશે.
હૉલમાર્ક છે સોનાની શુદ્ધતાનું પ્રમાણ
હોલમાર્કને ફરજિયાત બનાવ્યા પછી અને નવો ગ્રાહક સુરક્ષા કાયદો 2019 લાગુ થયા પછી, ઝવેરીઓમાંથી કોઈ પણ નિયમોનું પાલન નહીં કરે તો તેના પર દંડ સાથે જેલની જોગવાઈ છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 મુજબ હવે ઝવેરીઓને એક લાખ રૂપિયા દંડ અને એક વર્ષની સજા થઈ શકે છે. આ સાથે દંડ તરીકે સોનાના પાંચ ગણા ભાવ ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે.