દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે શનિવારે પીએમ મોદીને તે દેશોની ફ્લાઈટોને રોકવાનો આગ્રહ કર્યો છે જે નવા કોરોના વેરિએન્ટથી અસરગ્રસ્ત છે.
કેજરીવાલે નવા વેરિએન્ટથી ગ્રસ્ત દેશોમાંથી આવતી ફ્લાઈટો રોકવા પીએમ મોદીને કર્યો આગ્રહ
કેજરીવાલે વિશેષજ્ઞોને જરુરી સલાહની સાથે દિલ્હી DDMAને એક પ્રેજન્ટેશન કરવા કહ્યું
દિલ્હી સરકારે નવા વેરિએન્ટના ખતરા પર સોમવારે સવારે બેઠક બોલાવી
કેજરીવાલે નવા વેરિએન્ટથી ગ્રસ્ત દેશોમાંથી આવતી ફ્લાઈટો રોકવા પીએમ મોદીને કર્યો આગ્રહ
કેજરીવાલે એક ટ્વીટ કરી કહ્યું, હું પીએમ મોદીને તે દેશોમાંથી આવતી ફ્લાઈટોને રોકવા આગ્રહ કરુ છુ. જ્યાં કોરોનાના નવા વેરિએન્ટ મળ્યા છે. ભારે મહેનતથી દેશ કોરોનામાંથી ઉભર્યો છે. આપણે આ નવા વેરિએન્ટને ભારતમાં પ્રવેશ કરતા રોકવાના તમામ શક્ય પ્રયાસ કરવા જોઈએ.
આફ્રીકન દેશોમાંથી એક નવા વેરિએન્ટથી આવાનાર ખતરાને જોતા કેજરીવાલે કાલે વિશેષજ્ઞો પાસેથી જરુરી સલાહની સાથે દિલ્હી DDMAને એક પ્રેજન્ટેશન આપવાની અપીલ કરી હતી.
I urge the PM to stop flights from those countries which are affected by new variant (of COVID-19). With great difficulty, our country has recovered from Corona. We should do everything possible to prevent this new variant from entering India: Delhi CM Arvind Kejriwal
દિલ્હી સરકારે નવા વેરિએન્ટના ખતરા પર સોમવારે સવારે બેઠક બોલાવી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું કે તેમની સરકારે આફ્રીકન દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટના સંકટને ધ્યાનમાં રાખી ભરવામાં આવતા ખતરા પર ચર્ચા માટે દિલ્હી ડીડીએમએની બેઠક બોલાવી છે. કેન્દ્રએ ગુરુવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું હતુ કે દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાનાથી આવનારા અથવા આ દેશોના રસ્તે આવનારા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની મોટી સંખ્યાાં તપાસ કરવામાં આવશે. આ દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટના સામે આવવાની સૂચના છે. જેનાથી જનસ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે છે.
દિલ્હીમાં કોરોનાના 23 નવા મામલા સામે આવ્યા છે
દિલ્હીમાં શુક્રવારે કોરોનાના 23 નવા કેસ આવ્યા અને સંક્રમણ દર 0.04 ટકા રહ્યો. ત્યાકે આ સમયમાં સંક્રમણથી થનારા મોતનો કોઈ નવો મામલો નોંધાયો નથી. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જારી આંકડા મુજબ અત્યાર સુધી કુલ 14,40,807 નવા મામલા સામે આવ્યા છે. જ્યારે 14. 15 લાખથી વધારે લોકો સાજા થયા છે. તો 25, 095 લોકોના મોત થયા છે.