સુરતમાં ઓક્સિજનની સુવિધા સાથે 544 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ થશે, સરસાણા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેનશન હોલમાં આ સેન્ટર ઉભું થઈ રહ્યું છે
સુરતમાં તાબડતોબ કોવિડ સેન્ટર ઉભુ કરાયું
ઓક્સિજન સાથે 544 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ
સરસાણા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેનશન હોલમાં શરૂ થશે સેન્ટર
સુરતમાં કોરોના કહેરમાં પરિસ્થિતિને પહોંચી વળવા તાબડતોબ કોવિડ સેન્ટર ઉભું કરાઈ રહ્યું છે. ઓક્સિજનની સુવિધા સાથે 544 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ થશે. સરસાણા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેનશન હોલમાં આ સેન્ટર ઉભું થઈ રહ્યું છે. મેડિકલ અને પેરા મેડિકલની ટીમ કાર્યરત રહેશે. ચેમ્બર ઓફ કોમર્સ અને મનપા સાથે મળી કોવિડ કેર સેન્ટર ચલાવશે.
આ સાથે સુરતના બારડોલીમાં માલિબા કેમ્પસમાં પણ કોવિડ કેર સેન્ટર બનાવાશે. વહીવટી તંત્ર દ્વારા 211 બેડનું સેન્ટર બનાવાશે તેવી જાહેરાત કરાઈ છે. 24 કલાક ઓક્સિજન સુવિધા સાથે ઉપલબ્ધ કરાશે. 154 બેડ ઓક્સિજનની સુવિધા સાથે મુકાઈ રહ્યા છે. વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે તમામ કોવિડ સેન્ટર ફૂલ થઈ રહ્યા છે.
અમદાવાદમાં 900 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર સેન્ટર ઉભું થશે
આ સાથે અમદાવાદના યુનિવર્સિટી કન્વેન્શન હોલ પાસે કોવિડ કેર શરૂ થશે. 900 બેડની વ્યવસ્થા સાથે કોવિડ કેર ઉભું કરાશે. કન્વેન્શન હોલ ખાતે કોવિડ કેર માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. કન્વેન્શન હોલમાં બેડ મૂકીને તૈયારી શરૂ કરી દીધી છે. 900 બેડનું કોવિડ કેર ઉભુ કરવાની CM રૂપાણીએ જાહેરાત કરી હતી. CMના આદેશ બાદ તંત્ર દોડતું થયું છે.
વડોદરામાં પણ 3 હજાર બેડની હોસ્પિટલ ઉભી કરાશે
વડોદરામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આ વધતા સંક્રમણને લઇને તંત્ર દ્વારા યુદ્ધના સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. માત્ર ત્રણ દિવસમાં 3 હજાર બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. યજ્ઞપુરુષ કોવિડ કેરમાં હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. જેમાં ICU, ઓક્સિજન સહિતની સુવિધા સાથે હોસ્પિટલ તૈયાર થઇ ગઇ છે. હોસ્પિટલમાં દર્દીઓ માટે તમામ પ્રાથમિક સુવિધા છે. જેમાં આજે સાંજથી દર્દીઓને સારવાર માટે લાવવામાં આવશે. જ્યારે BAPS સ્વામીનારાયણ મંદિર અટલાદારા દ્વારા ભોજન અપાશે.