દેશમાં કોરોના વાયરસના સંક્રમણને લઈને અત્યાર સુધીમાં 94 લાખથી વધારે કેસ આવી ચૂક્યા છે. આ દરમિયાન કોરોનાને અટકાવવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 1 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી નવી ગાઈડલાઈન જારી કરી છે. નવી ગાઈડલાઈન આજથી લાગૂ થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયના દિશા નિર્દેશના જણાવ્યાનુંસાર રાજ્યોને કડકાઈથી કોરોનાનું સંક્રમણ રોકવાના ઉપાયોને લાગુ કરવા, ભીડને નિયંત્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે. આ વખતે સરકારનો મુખ્ય ફોકસ ભીડને નિયંત્રિત કરવાનું છે.
કેન્ટેઈનમેન્ટ ઝોનમાં ફક્ત જરુરી ગતિવિધિઓને પરવાનગી આપવામાં આવી
નાઈટ કર્ફ્યૂનો સમય પણ હવે રાજ્ય સરકારો જ નક્કી કરશે
આ છે નવી ગાઈડલાઈન, જાણો ક્યાં છુટ મળી ક્યાં હજું પર પ્રતિબંધ યથાવત
ગૃહમંત્રાલયે રાજ્યો- કેન્દ્રશાસિત પ્રદેશોને કડકાઈથી કોરોનાને અટકાવવાના ઉપાયો, વિભિન્ન ગતિવિધિઓ પર એસઓપી અને ભીડને નિયંત્રિત કરવા માટે જરુરિ ઉપાયો કરવાના કર્યા નિર્દેશ
કેન્ટેઈનમેન્ટ ઝોનમાં કડકાઈ જારી રહેશે. ત્યાં 65 વર્ષથી વધારે ઉંમરના વ્યક્તિઓ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરમાં રહેવાની સલાહ અપાઈ.
સરકારના નાઈટ કર્ફ્યુ લગાવવાના નિર્ણયને લઈને રાજ્ય સરકારોને પુરી છુટ અપાઈ છે. હવે રાજ્ય સરકારો ઉપર છે કે તે કોરોનાના હિસાબે કર્ફ્યુ લગાવે છે કે નહીં. નાઈટ કર્ફ્યૂનો સમય પણ હવે રાજ્ય સરકારો જ નક્કી કરશે.
કેન્ટેઈનમેન્ટ ઝોનમાં ફક્ત જરુરી ગતિવિધિઓને પરવાનગી આપવામાં આવી છે. સ્થાનિક જિલ્લા, પોલીસ અને નગરપાલિકા અધિકારીઓ એ સુનિશ્ચિત કરવા માટે જવાબદાર રહેશે કે નિર્ધારિત કેન્ટોનમેન્ટ ઉપાયોનું કડકાઈથી પાલન કરવામાં આવે અને રાજ્ય - કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર સંબંધિત અધિકારીઓની જવાબદેહી નક્કી કરશે.
કેન્ટેઈનમેન્ટ ઝોનની બહાર કોઈ પણ પ્રકારની સ્થાનીય લોકડાઉન લાગૂ કરતા પહેલા રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો કેન્દ્રની પરવાનગી લેવાની રહેશે.
ગૃહ મંત્રાલયની નવી ગાઈડલાઈનમાં સિનેમા ઘરો, થિયેટર્સ, સ્વિમિંગ પૂલ્સ વગેરેને લઈને પ્રતિબંધ જારી છે. સિનેમા હોલ હજું પણ 50 ટકા દર્શકની ક્ષમતાની સાથે ચાલશે,
સરકારે લગ્નમાં આવનારા મહેમાનોની સંખ્યા 200 રાખી છે. પરંતુ દિશાનિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારો પોતાને ત્યાં કોરોનાના મામલાને જોતા આ સંખ્યાને 100અથવા તેનાથી નીચે પણ કરી શકે છે. દિલ્હી સરકારે લગ્ન સમારોહમાં આવનારા મહેમાનની સંખ્યા 50 કરી દીધી છે. યૂપી સરકારે આ સંખ્યા 100ની રાખી છે.
સરકારના દિશા નિર્દેશ મુજબ સર્વિલન્સ ટીમ ઘરે ઘરે જઈને નિગરાની કરશે અને કોરોનાના દર્દીઓની સારવા સુવિધાઓની સાથે તત્કાલ આઈસોલેશન સુનિશ્ચિત કરવામાં આવશે. ત્યારે આરોગ્ય સેતુ મોબાઈલ એપનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવતા રહેશે.