ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા દિનપ્રતિદિન ઘટી રહી છે. પરંતુ સામે મૃત્યુઆંકમાં ખાસ કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.
દેશમાં સતત ઘટી રહ્યા છે કોરોનાના કેસ
દૈનિક કેસમાં આજે 6 ટકાનો ઘટાડો
પણ મૃત્યુઆંકમાં કોઈ ઘટાડો નહીં
દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ હવે ઘટી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 67 હજાર 84 નવા કેસ નોંધાયા છે અને 1241 લોકોના મોત થયા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે 4 ટકા છે. ગઈકાલની સરખામણીમાં આજે 6 ટકા ઓછા કેસ નોંધાયા છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
સક્રિય કેસ ઘટીને 7 લાખ 90 હજાર 789 થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા ઘટીને 7,90,789 થઈ ગઈ છે. આ રોગચાળાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,6,520 થઈ ગઈ છે. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 4 કરોડ 11,80,751 લોકો ચેપ મુક્ત થઈ ચૂક્યા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું છે કે ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 15 લાખ 11 હજાર 321 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
India reports 67,084 fresh #COVID19 cases, 1,67,882 recoveries and 1,241 deaths in the last 24 hours.
Active cases: 7,90,789 (1.86%)
Death toll: 5,06,520
Daily positivity rate: 4.44%
ગુજરાતમાં કોરોના કેસો જેટલી ગતિએ વધ્યા એટલી જ ગતિએ ઘટી પણ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2,502 કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 874 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 87 કેસ તો રાજકોટ શહેરમાં 118 કેસ, વડોદરા શહેરમાં 404 કેસ સામે આવ્યા છે.
આજે કોરોનાના કારણે 24 લોકોના મોત થયા
આજે કોરોનાના કારણે 24 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 3, મહેસાણા 1, સુરત 3, રાજકોટ 3, ભાવનગર કોર્પોરેશન 1, ભરુચ 1, મોરબી 1, અમદાવાદ 1, દેવભૂમિ દ્વારકા 2, ભાવનગર 1 અને મહીસાગરમાં 1 દર્દીનું મોત થયું છે. અત્યાર સુધીમાં કુલ 1170117 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 96.85 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે સરકાર મજબુતીથી લડી રહી છે.
કોરોના ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં એકદમ શાંત પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 33,631 સુધી પહોંચી ગઈ છે.