કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારત, અમેરિકા, બ્રિટન, બ્રાઝિલ, રશિયા સહિત વિશ્વના ઘણા દેશો કોરોનાથી બહું વધારે પીડિત છે. ભારત સહિતના અનેક દેશો કોરોનાની રસી બનાવવામાં લાગેગા છે. તો અનેક કંપનીઓ તેની દવા બનાવવામાં વ્યસ્ત છે. પહેલેથી જ ઉપલબ્ધ ફેબીફ્લુ, ડેક્સામેથાસોનમ જેવી દવાઓથી કોરોનાની સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે હવે એક નવી કોરોનાની દવા જાહેર થઈ છે. જે દર્દીના શરીરમાં ફેલાતા કોરોના વાયરસના કાઉન્ટને ફેલાતા અટકાવશે.
દવા વાયરસના કાઉન્ટને વધતા રોકી રહી છે
દવા આપ્યાના 5માં દિવસે 77.5 ટકા દર્દીઓમાં કોરોનાનો નાશ કર્યો હતો
જે કોરોનાની સારવારમાં સંપૂર્ણ રીતે કારગર નીવડી છે
રુસની ફાર્મા કંપની આર ફાર્માએ કોરોનાની સારવાર માટે એક નવી દવા તૈયાર કરી છે. આ દવા એન્ટી વાયરલ છે. જેનું નામ કોરોનાવિર(Coronavir) રાખવામાં આવ્યું છે. ક્લીનિકલ ટ્રાયલ બાદ તેનો દર્દીઓ માટે ઉપયોગ થાય તેવી પરવાનગી મળી ગઈ છે. કંપનીનો દાવો છે કે દવા દર્દીઓને અસર કરી રહી છે. દવા વાયરસના કાઉન્ટને વધતા રોકી રહી છે.
રુસી કંપનીનો દાવો છે કે કોરોનાવિર દેશની પહેલી એવી દવા છે કે જે કોરોનાની સારવારમાં સંપૂર્ણ રીતે કારગર નીવડી છે. દવાના ક્લીનિકલ ટ્રાયલમાં જબરજસ્દ પરિણામ મળ્યુ હતું. અન્યની સરખામણીએ આ દવા દર્દીમાં 55 ટકા વધારે સુધારો લાવે છે. કંપનીનો દાવો છે કે ક્લીનિકલ ટ્રાયલમાં દરમિયાન દર્દીઓને દવા આપ્યાના 5માં દિવસે 77.5 ટકા દર્દીઓમાં કોરોનાનો નાશ કર્યો હતો.
રુસમાં સેન્ટ્રલ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઓફ એપિડેમિયોલોજીના પ્રમુખ તાત્યાન રાયજેનત્સોવાના જણાવ્યા મુજબ દવાનું ટ્રાયલ મેમાં શરુ થયું હતું અને આ બાબ 110 દર્દીઓની સારવાર થઈ ચુકી છે. આ એન્ટીવાયરલ છે જેની કિંમત જોઈએ તો 200 એમસીની ટેબલેટ છે એક પત્તાની કિંમત 3500 છે. જેમાં 34 ટેબલેટ હોય છે. ઉલ્લેખનીય છે કે ડૉક્ટરની નજર હેઠળ દવાના ઉપયોગને માન્યતા મળી છે.