આરોગ્ય મંત્રાલય દ્વારા સોમવારે આપવામાં આવેલી જાણકારી અનુસાર દેશમાં હવે કોરોનાના નવા સ્ટ્રેઇનથી અત્યાર સુધીમાં કુલ 38 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે.
કોરોના નવા સ્ટ્રેઇનને લઈને આરોગ્ય મંત્રાલયે આપી માહિતી
વધી રહ્યો છે કોરોનાના નવા સ્ટ્રેઇનના દર્દીઓનો ગ્રાફ
હવે ભારતમાં નવા સ્ટ્રેઇનના કુલ સંક્રમિતોનો આંકડો 38 પર પહોંચ્યો
બ્રિટનમાં જોવા મળેલો કોરોનાનો નવો સ્ટ્રેઇન ભારતમાં અમુક દિવસ પહેલા આવી ચૂક્યો હોવાની જાણકારી આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી અને તાજેતરની આપવામાં આવેલી માહિતી અનુસાર હવે ભારતમાં કોરોના નવા સ્ટ્રેઇનથી સંક્રમિત થયેલા લોકોની કુલ સંખ્યામાં વધારો થાય છે આ સંખ્યા વધીને હવે 38 પર પહોંચી ગઈ છે.
ICMR દ્વારા નવા સ્ટ્રેઇનને લઈને અપાઈ હતી મહત્વની જાણકારી
આ પહેલા ICMR દ્વારા જાણકારી આપવામાં આવી હતી, કે ભારતમાં વિજ્ઞાનીઓ દ્વારા સફ્ળતાપૂર્વક નવા સ્ટ્રેઇનને કલ્ચર કરી લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે કલ્ચર એક એવી પ્રક્રિયા છે જેમાં વાયરસની નવી કોશિકાઓને કંટ્રોલ્ડ એન્વાયર્મેન્ટમાં ઉગાડવામાં આવે છે અને સામાન્ય રીતે તેના નેચરલ વાતાવરણની બહાર આવું કરવામાં આવે છે.
આ કલ્ચર એક એવી પરિસ્થિતિ છે જેમાં વાયરસના નમૂનાને આઇસોલેટ કરીને તેને સ્ટોર કરવામાં આવે છે, આ સ્પેસિમેનને NIV એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં કલ્ચર કરવામાં આવ્યો છે. ICMR એ એવો દાવો કર્યો હતો કે હજુ સુધી વિશ્વના અન્ય કોઈ પણ દેશને આવું કરવામાં સફળતા મળી નથી. આ નમૂના બ્રિટનથી આવેલા લોકોમાંથી લેવામાં આવ્યા છે.
નવો સ્ટ્રેઇન 70 ટકા વધુ ચેપી હોવાની જાણકારી સામે આવી હતી
મહત્વનું છે કે થોડા સમય પહેલા બ્રિટનમાંથી નવો કોરોના સ્ટ્રેઇન મળી આવવાની ઘટના બહાર આવી હતી જે જૂના કોરોના વાયરસની સરખામણીમાં 70 ટકા વધુ ચેપી હોવાનો ઘટસ્ફોર થયો હતો. આ જાણકારી બાદ ઘણા દેશોએ બ્રિટન સાથે પોતાની ફ્લાઇટ પર તત્પૂરતી રોકલગાવી દીધી હતી. ભારતે પણ બ્રિટન સાથેની ફ્લાઇટ પર રોક લગાવી દીધી હતી જે 8 જાન્યુઆરીએ ફરીથી શરૂ થવાની છે.